• મંગળવાર, 14 એપ્રિલ, 2026

આદિપુરની યુવતીએ બીજા લગ્ન કરી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 13: આદિપુરમાં રહેતા યુવાન ધારાશાત્રી સાથે પ્રેમલગ્ન કરી બાદમાં છુટાછેડા, ભરણ પોષણના કેસ કરી લગ્ન હયાત હોવા છતાં બીજા લગ્ન કરી તે દરમ્યાન સંતાન પ્રાપ્તિ થતાં પત્ની, સાસુ, સસરા સહિત છ લોકો સામે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આદિપુરની આંબેડકર સોસાયટીમાં રહેનાર ધારાશાત્રી રાકેશ મગનલાલ મહેશ્વરીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન અને નિરાલી કનૈયાલાલ સોનીએ ગત તા. 9/3/2011નાં ભુજ ખાતે પ્રેમ લગ્ન કરી નોંધણી કરાવી હતી. તેમના દામ્પત્ય જીવન દરમ્યાન પુત્ર પ્રાપ્ત થયો હતો. આ પ્રેમ લગ્નથી યુવતીના માતા-પિતા ભગવતીબેન તથા કનૈયાલાલ મણીલાલ સોનીએ ફરિયાદી અનુ. જાતીના હોવાથી પસંદ નહોતા અને આ બંને પોતાની દીકરીને ચડામણી કરતા ફરિયાદી સામે ઘરેલું હિંસા, છુટાછેડાના કેસ કરાયા હતા. બંનેના છુટાછેડા થયા ન હોવા છતાં યુવતીના લગ્ન રાપરના પિયુશ મહેન્દ્ર સોની સાથે કરાવવામાં આવ્યા હતા. જે દરમ્યાન નિરાલીબેન સોનીએ તા. 11/8/2023ના પુત્રને જન્મ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે યુવતી તેના માતા-પિતા તથા રાપરનાં નિમિષાબેન મહેન્દ્ર સોની, મહેન્દ્ર સોની સામે, પિયુષ સોની સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd