નવી દિલ્હી, તા. 29 : દેશના બાવનમાં
મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) બી.આર. ગવઈએ કહ્યું છે કે,
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ/જનજાતિ (એસસી-એસટી)ની ભીતર ક્રીમિલેયરનાં
સિદ્ધાંતને લાગુ કરવાની માન્યતા આપવી એક ન્યાયાધીશ તરીકે તેમની કારકિર્દીની સૌથી મહત્ત્વપૂર્ણ
ક્ષણોમાંથી એક રહી છે. સીજેઆઈ ગવઈએ આને સામાજિક
ન્યાયને પરિષ્કૃત કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું ગણાવતાં કહ્યું હતું કે,
ઉચ્ચ પદો ઉપર રહેલા એસસી-એસટી જાતિના અધિકારીઓનાં બાળકોને પણ તેમના જેવા
જ લાભો માટે પાત્ર માનવા આરક્ષણની મૂળ ભાવનાને કમજોર કરે છે. તેમની આ ટિપ્પણી એક જનહિત
અરજી ઉપર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આવી છે, જેમાં
એસસી-એસટી સમુદાયની અંદર ઉપવર્ગીકરણને મંજૂરી આપાવમાં આવી હતી, જેથી આરક્ષણનો લાભ જરૂરિયાતમંદ વંચિતો સુધી યોગ્ય રૂપે પહોંચી શકે.