ગાંધીધામ, તા. 29 : આદિપુર નજીક શનિદેવ મંદિરથી
શિણાય બાજુ જતા માર્ગ ઉપર જઘન્ય કૃત્યને અંજામ આપનારા બે શખ્સોનું પોલીસે રિકન્સ્ટ્રકશન
કરાવ્યું હતું. આ બે શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. શનિદેવ મંદિરથી શિણાય
જતાં એક કિશોરી અને કિશોરને પકડી પોલીસની બીક બતાવી કિશોરીનું અપહરણ કરાયું હતું. બાદમાં
કિશોરી સાથે બદકામ કરાયું હતું. આ પ્રકરણમાં પોલીસે દોડધામ આદરીને અંજાર વિજયનગરના
મહેશ ઉર્ફે ડાભલો મોતી કોળી તથા નવકાર હોમ્સ મેઘપર કુંભારડીના સંદીપગર ઘનશ્યામગર ગુંસાઈ
નામના શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. આ બન્ને શખ્સો બનાવ પહેલાં આદિપુર બાજુ આવ્યા
હતા. પોલીસે તેમને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન કર્યું હતું. બંને શખ્સોને કોર્ટમાં રજૂ
કરાતાં બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આગળની
તપાસ હાથ ધરાઈ છે.