નવી દિલ્હી, તા. 29 : સરકારે પાનકાર્ડના
નિયમોમાં બદલાવ કર્યો છે. પહેલી જુલાઇથી આધારકાર્ડ નહીં હોય, તેવા નાગરિકો પાનકાર્ડ મેળવી શકશે નહીં. આવાં
પગલાંથી કરચોરી પર અંકુશ આવશે, તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું
હતું. એ સિવાય પાનકાર્ડ છે, તેમણે પણ 31મી ડિસેમ્બર સુધીમાં આધાર સાથે જોડાણ કરવું
પડશે, નહિતર પહેલી જાન્યુઆરી-2026થી પાનકાર્ડ નિક્રિય થઇ જશે.
આવક વેરા વિભાગની વેબસાઇટ પર ગેટ ન્યૂ ઇ-પાન વિકલ્પ પસંદ કરી, આધાર નંબર ભરવાનો રહેશે. પછી ઓટીપી વેરીફાઇ
કરાવવાનો રહેશે. આધારની વિગતો આપોઆપ ભરાઇ જશે. સબમીટ બટન પર ક્લિક કર્યા પછી જાણકારી
સાચી હશે, તો ઇ-પાનકાર્ડ તરત બની જશે.