• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

છુગેરમાં ટ્રકે બે ભેંસને અડફેટે લેતાં મોત : 90 હજારનું નુકસાન

ભુજ, તા. 21 : લખપત તાલુકાના ઉમરસરથી છુગેર જતા માર્ગે પૂરપાટ?જતી ટ્રકે ખેડૂતની બે ભેંસને અડફેટે લઇ મોત નીપજાવતાં 90 હજારની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે છુગેરના ખેડૂત પૃથ્વીરાજસિંહ સ્વરૂપાજી જાડેજાએ આજે દયાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14/9ના રાતે 1થી 3 વાગ્યા દરમ્યાન તેમની ભેંસો સીમ વિસ્તારમાંથી ચરિયાણ કરી ઘર બાજુ આવતી હતી, ત્યારે ઉમરસરથી છુગેર વચ્ચેના માર્ગ પર ટ્રક નં. જી.જે. 12 એ.ઝેડ. 0599વાળીના ચાલકે પૂરપાટ બેદરકારીથી ચલાવી ભેંસને ટક્કર મારતાં બે ભેંસ સ્થળ પર જ મૃત્યુ પામી હતી. આથી ફરિયાદીને 90 હજારનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang