• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ભુજ

ભુજ : જાડેજા રઘુભા કરશનજી (ઉ.વ. 47) (એસ.આર.પી.) તે સ્વ. ઝાલા ઘનશ્યામસિંહ જીલુભા, સ્વ. દાદુભા, સ્વ. બટુકસિંહના જમાઇ, રણવીરસિંહ ઘનશ્યામસિંહ, કિશોરસિંહ ઘનશ્યામસિંહ, સુખદેવસિંહ બટુકસિંહ, જગદીશસિંહ, રણજિતસિંહના બનેવી, જાડેજા પ્રતાપસિંહ નારણજી, પ્રવીણસિંહ નારણજી, જયવીરસિંહ ભગવાનજી, ધર્મેન્દ્રસિંહ વિનુભા તથા ગોહિલ ક્રિપાલસિંહ પ્રવીણસિંહના સાઢુ તા. 14-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-5-2023ના સાંજે 5થી 6 પ્રભુનગર-1, ભુજ ખાતે.

આદિપુર : મૂળ બાનીયારીના સખીબેન ભૂરાભાઇ વરચંદ (ઉ.વ. 77) તે સ્વ. ભૂરાભાઇ રવાભાઇ વરચંદના પત્ની, આલાભાઇ, લક્ષ્મીબેન શામજીભાઇ ઢીલા, મેઘીબેન કરમણભાઇ છાંગાના માતા, દેવાભાઇ જીવાભાઇ, આલાભાઇ જીવાભાઇના કાકી, ફુલીબેનના સાસુ, શિલ્પાબેનના મોટાસાસુ, દેવીબેન, જીવીબેનના ભાભી, ખોડાભાઇ લખમણભાઇના મામી, ગીતાબેન, મોહનભાઇ, સુમિત, શિવમના દાદી તા. 16-5-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન વોર્ડ 3-એ, પ્લોટ નં. 384, આદિપુર ખાતે.

નખત્રાણા : કુંભાર અલીમામદ ઇબ્રાહિમ (ઉ.વ. 52) તે મ. ઇબ્રાહિમ મામદના પુત્ર, કુંભાર સુલેમાન (ઉર્ફે કારો), મ. મામદ ઇબ્રાહિમ (ઉર્ફે ડોસલભા)ના મોટાભાઇ, અબ્દુલના પિતા તા. 18-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5- 2023ના શનિવારે સાંજે 4થી 5 મુસ્લિમ જમાતખાના, મફતનગર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. શાંતુબેન જેઠી (ઉ.વ. 87) તે સ્વ. જયંતીલાલ મણિલાલભાઈ જેઠીના પત્ની, સ્વ. જશુમતીબેન ઘનશ્યામભાઈ જેઠી (રાયપુર મ.પ્ર.)ના ભાભી, સ્વ. નર્મદાબેન પ્રાણજીવનભાઈ જેઠી, સ્વ. પ્રેમીલાબેન, હરિલાલ, દિનકરરાય વેલજીભાઈ જેઠીના બહેન, સ્વ. અશ્વિનભાઈ જેઠી (કચ્છમિત્ર રિપોર્ટર-નખત્રાણા), ચંદ્રેશભાઇ (નિવૃત્ત જી.ઇ.બી.), બીનાબેન (ઉદયપુર), દક્ષાબેનના માતા, ગં.સ્વ. કિરણબેન, આરતીબેન, શિવજીભાઈ (ઉદયપુર), ભરતભાઈ (કોર્ટ)ના સાસુ, મંથન (બીના બુક સ્ટોલ નખત્રાણા), હેની, જેલમ વિનોદભાઈ જેઠી, અર્જુન, રિયાના દાદી, ભૂમી અને અદિતિના દાદીસાસુ, પંક્તિ હેતકુમાર વણોલ (ના.કા.ઈ. સિચાઈ સદન), રચના શેખર, શીતલ હિમાંશુભાઈ, શિવમના નાની, શ્લોક, ખનક, વિરાજના પરદાદી, ધ્રુવ, વેદાન્ત, ખુશી, હિરના પરનાની તા. 17-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી અને પ્રાર્થનાસભા તા. 19-5-2023ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 જયેષ્ઠી સમાજવાડી, જેઠી ફળીયા પાસે, ભુજ ખાતે.

સુમરાસર શેખ (તા. ભુજ) : હાલે માધાપર દામિની (ઉ.વ.21) તે મંગલભાઈ કાજુભાઈ રાઠોડ (કન્ડક્ટર, નખત્રાણા એસ.ટી. ડેપો)ના પુત્રી, ગૌતમભાઈના ભત્રીજી, સંજય, ભાવિ, ધ્રુવી, સંઘ્યાના બહેન તા. 16-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું સુમરાસર શેખ નિવાસસ્થાને.

સુખપર (તા. ભુજ) : સરીફાબાઈ આમદ નોતિયાર (ઉ.વ. 62) તે મ. નોતિયાર આમદ મેઠુના પત્ની, અબ્દુલ અને અનવરના માતા, મામદ તથા મ. હાસમના ભાભી, ગુલામહુસેન હાસમ અને અલીમામદના કાકી, કાસમ લાખા (ગોધરા)ના સાસુ, જુનેજા ઉમર હારુન અને અબ્દુલા (બાયઠ)ના બહેન અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2023ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને નોતિયાર ફળીયા, મોચીરાઈ રોડ, સુખપર ખાતે.

ડગાળા (તા. ભુજ) : અરજણભાઈ રવાભાઈ વરચંદ (હિરાણી) (ઉ.વ. 70) તે જીવીબેનના પતિ, દેવાભાઈ, સખીબેન ધનાભાઈ ઢીલા, જશીબેન હીરાભાઈ ઢીલાના ભાઈ, નાથીબેન રામાભાઈ વરચંદ, દેવીબેન રમેશભાઈ વરચંદ, કંકુબેન રાજેશભાઈ વરચંદ, સ્વ. ફૂલીબેન ભગુભાઈ ઢીલા, ડાઈબેન લખમણભાઈ ઢીલા, વાસુબેન મ્યાજરભાઈ ઢીલા, કંકુબેન વાસણભાઇ ઢીલાના પિતા, વિરમભાઈ દેવાભાઈ વરચંદ, રણછોડભાઈ દેવાભાઈ વરચંદના કાકા તા. 17-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ડગાળા ખાતે.

સાડાઉ (તા. મુંદરા) : દામજી ફકીરા સિંચ (ઉ.વ. 40) તે કેશરબાઇ ફકીરાભાઇના પુત્ર, વાલબાઇ આતુભાઇ આયડી ગોયરના દોહિત્ર, ભાણભાઇ કરશનભાઇ વિસરિયા (સિનુગ્રા), લક્ષ્મીબેન પચાણભાઇ નિંજાર (વડાલા), નવીનભાઇ, હંસાબેન શૈલેશભાઇ ડુંગડિયા (અંજાર)ના ભાઇ, વિજય, અજય, મિત્તલ, સંજયના કાકા તા. 16-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાને.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : ધનજીભાઇ ભાણજી પોકાર (ઉ.વ. 80) તે સ્વ. રતનશીભાઇ, શિવજીભાઇ, સ્વ. દેવજીભાઇ, જયંતીભાઇ (ઠાસરા), દમયંતીબેન (મિરજાપર), હેમલતાબેન (બેંગ્લોર), મધુબેન (કોટડા-ચકાર), ચંપાબેન (હળવદ)ના પિતા, દીપેશ, રિતેષ, રુચિતાના દાદા તા. 16-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18 અને 19-5-2023ના નિવાસસ્થાન સાંયરા (યક્ષ) ખાતે.

નાગવીરી (તા. નખત્રાણા) : મૂળ કોટડા (મઢ)ના પરબતભાઇ ગોરડિયા (ઉ.વ. 68) તે સ્વ. સામજી નાથા ગોરડિયાના મોટા પુત્ર, નાનબાઇના પતિ, રવજી, હરેશ, શામજીના પિતા, વેરશીભાઇ, કાનજીભાઇ (કોટડા-મઢ), સ્વ. ભાણબાઇ અરજણ સંજોટ (નાગવીરી), વીરબાઇ રામજી ખંભુ (ધારેશી)ના ભાઇ, રામજીભાઇ તેમજ મનજીના ભત્રીજા, પરેશ, ચેતન, વિશાલ, દીપેન, ડિમ્પલ, મધુ, ભાવના, હેતલ, પ્રિયા, માહી, ડોલીના દાદા, સ્વ. ભચીબાઇ ગોવિંદ સંજોટ (નાગવીરી)ના જમાઇ, સ્વ. લધારામ, અરજણભાઇ, સ્વ. કાનજીભાઇ, મૂળજીભાઇ (માજી સરપંચ-નાગવીરી)ના બનેવી તા. 18-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 20-5-2023ના શનિવારે સાંજે અને ઘડાઢોળ (પાણી) તા. 21-5-2023ના સવારે નિવાસસ્થાને નાગવીરી ખાતે.

લાલા (તા. અબડાસા) : દરાડ ઇસ્માઇલ મીઠુ કાત્યા (ઉ.વ. 82) તે જાફર અને મ. અલીના મોટાભાઇ, હુશેનના પિતા, અસ્લમ અને સુલતાનના દાદા તા. 18-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2023ના સવારે 11 વાગ્યે લાલા જમાતખાનામાં.

અંજાર : અશોકભાઇ મોતીલાલ પંડયા (ઉ.વ. 64) તે સ્વ. ચંદ્રિકાબેન તથા સ્વ. મોતીલાલ લક્ષ્મીશંકરના પુત્ર, શોભનાબેનના પતિ, હેતના પિતા, સ્વ. મહેશચંદ્ર, કીર્તિકિશોર, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. ભરતભાઇ, નિરંજનાબેન (માતાના મઢ), દિનેશ્વરીબેન (લક્ષ્મીપર), સ્વ. વિણાબેન (જામનગર)ના ભાઇ, ગં.સ્વ. ચંદ્રિકાબેન, કંચનબેનના દિયર, સ્વ. મંજુલાબેન, સ્વ. વસંતબેનના જેઠ, હસમુખ, જયેશ, વિશાલ, અલ્પા, અનિતા, પ્રિયંકા, સ્વ. વંદનાબેનના કાકા, વિજય, ઇલાના મોટાબાપા, ક્રિષ્નાબેન તથા સ્વ. મૂળશંકર રાસ્તે (મુંદરા)ના જમાઇ, કનૈયાલાલના બનેવી, ગૂંજનબેનના નણદોયા, શ્રુતિ તથા મૈથીલીના ફુઆ તા. 18-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2023ના શનિવારે સાંજે 5થી 6 રઘુનાથ મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

નાગલપર (તા. માંડવી) : અમરબેન (ઉ.વ. 90) તે વીરજીભાઇ રામજી પિંડોરીયાના પત્ની, ભીમજી, કાન્તિ, રામબાઇ મનજી, શામબાઇ વિશ્રામ, લાલબાઇ નારાણ, વાલબાઇ રામજી, મંજુલાબાઇ, કાન્તા રવજી, પુરબાઇ માવજી, જશુબેન જાદવજી, લક્ષ્મીબેન કાન્તિના માતા, કપિલના દાદી તા. 18-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2023ના શનિવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન વાડી વિસ્તાર, નાગલપુર ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : ગીતાબેન મહેશ્વરી (ડગરા) (ઉ.વ. 24) તે વાલબાઇ કાનજી હીરાભાઇના પુત્રી, રમેશ, કાન્તા, વષશૅઈ?નીરૂ, લક્ષ્મી, હિરલ, મનીષાના બહેન, વેરશી માણશી ફુફલ (નારાણપર)ના દોહિત્રી તા. 17-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. ઘડાઢોળ (પાણી) તા. 19-5-2023ના શુક્રવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાને.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ ઝરપરાના દેવજી વેરસી માતંગ (ઉ.વ. 67) તે ખેરાજ, મેઘરાજ, સ્વ. સુમાર, ધનબાઇ, હાંસબાઇ, પાલીબેન, કેશરબેનના ભાઇ, કાનજી, લક્ષ્મીબેન, રમેશ, વાલજીના પિતા, દિનેશ, ગોવિંદ, રવિ, મનોજ, મહેશ, જગદીશ, જેશંગના મોટાબાપા, પ્રકાશ, કેતન, જયેશ, શ્યામ, અંજલી, જ્યોતિ, દિવ્યાંશીના દાદા તા. 17-5-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 21-5-2023ના તેમજ ઘડાઢોળ (પાણી) તા. 22-5-2023ના નિવાસસ્થાન ભુજપુર વાડીએ.

નેત્રા (તા. નખત્રાણા) : નાથબાવા ધર્મેનનાથ રાજેશનાથ (ઉ.વ. 26) તે સ્વ. શામજી પ્રેમજીના પૌત્ર, મીનાબેન રાજેશનાથના પુત્ર, સૂરજ, કિંજલ (રાયણવાળા), ટિવંકલબેન (ધમડકાવાળા)ના નાના ભાઈ, દિનેશનાથ, રવિનનાથના ભત્રીજા, તુલસીભાઈ (જામનગરવાળા)ના ભાણેજ તા. 18/5/2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-05-2023, શનિવારે, સાંજે 4.00થી 5.00 કલાકે નેત્રા લોહાણા સમાજવાડી ખાતે, તેમની ધાર્મિક ક્રિયા તા. 29-05-2023, સોમવારે નેત્રા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang