• ગુરુવાર, 03 જુલાઈ, 2025

સુરક્ષાનાં કારણોસર છ એપ્રિલે કોલકાતા- લખનૌની મેચ ગુવાહાટી ખસેડાઈ

કોલકાતા, તા. 20 (પીટીઆઈ) : કોલકાતા નાઈટ રાઈડર્સની 6 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ ગુવાહાટી ખસેડવામાં આવશે. પોલીસે શહેરમાં `રામનવમી' ઉજવણીને કારણે આઈપીએલ સ્પર્ધા માટે સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે, એમ સીએબીના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ પીટીઆઈને જણાવ્યું હતું. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી હતી કે, આ તહેવારની ઉજવણી માટે પશ્ચિમ બંગાળમાં 20,000થી વધુ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સીએબીના પ્રમુખ ગાંગુલીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, `અમે બીસીસીઆઈને મેચ ફરીથી યોજવા માટે જાણ કરી છે, પરંતુ શહેરમાં મેચ ફરીથી રમાડવાનો કોઈ અવકાશ નથી અને હવે મને સાંભળવા મળી રહ્યું છે કે, તેને ગુવાહાટી ખસેડવામાં આવશે.

Panchang

dd