મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 15 : આગામી 6 ડિસે.ના નખત્રાણા ખાતે બીજા સમૂહલગ્ન એવમ્ સમૂહ યજ્ઞોપવિતના
આયોજન માટે અખિલ કચ્છ અને નખત્રાણા સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની સંયુક્ત બેઠક યોજાઈ
હતી. જેમાં સમૂહલગ્ન આયોજન સમિતિના કન્વીનર લાભશંકર બોડા તથા સહકન્વીનર દિનેશભાઈ સોનપાર,
જયેશભાઈ જોશી અને અરવિંદભાઈ બોડાની નિમણૂક કરાઈ હતી. આ બેઠકમાં અખિલ કચ્છ મહાસ્થાનના
મહામંત્રી વાલજીભાઈ જોશી, ખજાનચી ચંદ્રકાંતભાઈ શિવ, મહેન્દ્ર જોશી, દિનેશભાઈ પાંધી,
પ્રભુલાલ જોશી, શંકર જોશી, લાભશંકર બોડા તેમજ નખત્રાણા મહાસ્થાનના પ્રમુખ પ્રકાશભાઈ
સોનપાર, મહામંત્રી ભરતભાઈ ધોલી, દિનેશભાઈ સોનપાર, ઉપપ્રમુખ જયેશભાઈ જોશી, ખજાનચી રમેશભાઈ
સોનપાર, અરવિંદભાઈ બોડા, રાજેશભાઈ જોશી, મિતેશભાઈ સોનપાર, યુવક સંઘના પ્રમુખ મેહુલભાઈ
જોશી, સુરેશ સોનપાર, હરેશભાઈ ધોલી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રકાશભાઈ સોનપારે
કર્યું હતું. ટૂંક સમયમાં સમગ્ર કચ્છ તેમજ બહાર વસતા દીકરા-દીકરીઓના સમુહલગ્ન તથા યજ્ઞોપવિતના
ફોર્મ?ભરવાનું ચાલુ કરવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું હતું.