• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

પી.સી.વી. મહેતા હાઇસ્કૂલ-ભુજમાં છાત્રોને જીવનની નૂતન એબીસીડી શીખવાડી

ભુજ, તા. 15 : અહીંની પી.સી.વી. મહેતા હાઇસ્કૂલમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અનંત મુનિ મ.સા.નાં જીવનને લગતા પ્રવચન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના આચાર્ય ડો. ચેતનભાઇ આઇ. બારમેડા દ્વારા શાબ્દિક સ્વાગત બાદ અનંત મુનિ મ.સા.એ વકતવ્યમાં વિદ્યાર્થીઓને જીવનની નૂતન એબીસીડી શીખવાડી હતી, જેમાં એથી એટિટયુડ, બીથી બિહેવિયર, સીધી કેરેક્ટર, ડીથી ડિલિટની સમજ આપી હતી. કાર્યક્રમના અંતે સાહેબે વિદ્યાર્થીઓ તથા સમગ્ર શિક્ષકગણને વ્યસનમુક્તિ તથા જીવનને સફળ બનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. શાળાના ટ્રસ્ટી મંડળ પંકજભાઇ મહેતા, સંદીપભાઇ દોશી, વાડીલાલભાઇએ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ચાણક્ય ફિઝિયોથેરાપી ઓફ કોલેજના વર્ષાબેન ગોસ્વામી, શાળાના શિક્ષકગણ, બી.એડ.ના તાલીમાર્થીઓ તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang