નવી દિલ્હી તા.3 : પોતાની કપ્તાનીમાં ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારા સૂર્યકુમાર
યાદવને બીસીસીઆઇએ કપ્તાન પદેથી હટાવી દીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જો કે, બીસીસીઆઇ તરફથી આ મતલબની સત્તાવાર જાહેરાત થઇ
નથી, પણ બોર્ડના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આગામી ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ
પ્રવાસમાં ટી-20 ફોર્મેટમાં
સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકેની ભૂમિકામાં ન દેખાય તેવું લાગી રહ્યું છે. તેનાં સ્થાને
લગભગ શ્રેયસ ઐયર નવો ટી-20 કેપ્ટન બને
તેવી શક્યતા છે. જો કે, તિલક વર્મા
અને શુભમન ગિલ પણ રેસમાં જોવા મળી રહ્યા છે. એક સમયનો નંબર વન ટી-20 બેટર સૂર્યકુમાર યાદવ પાછલા
ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. ટી-20 વર્લ્ડ કપ
બાદ આઈપીએલમાં પણ તેના બેટમાંથી રન નીકળ્યા ન હતા. બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયાએ
હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજીત અગરકર સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો હોવાના
અહેવાલ છે. 3પ વર્ષીય સૂર્યકુમાર યાદવનાં સ્થાને બીસીસીઆઇ
2027ના ટી-20 વિશ્વકપમાં ઉતરવા માગતી નથી, જે પણ એક કારણ છે. શુભમન ગિલ અને તિલક વર્મા
પણ કપ્તાનપદની રેસમાં છે.