• શુક્રવાર, 29 મે, 2026

બરસાના ખાતે આગામી તા. 1થી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ

અંજાર, તા. 28 :  ઉત્તરપ્રદેશના બરસાના ખાતે  ચીકસોલી ગામમાં  કથા સ્થળ `રાસ મંડપ'માં  આગામી તા. 1થી  વ્રજપ્રભા  ગ્રંથનો  આગામી તા. 1થી આરંભ થશે.  આ વેળાએ  વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત  ત્રિકમદાસજી મહારાજના  વ્યાસાસને  મનોરથી  કર્માબેન રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર દ્વારા પારાયણ જ્ઞાન સપ્તાહનુ આયોજન કરાયું છે.  કથા તા. 1/06/26થી 07/06/26 સુધી સવારે 8.30થી 1 સુધી યોજાશે. આ અંતગર્ત તા. 01ના સવારે 9 વાગ્યે બરસાનામાં માતાજી ગૌશાળાથી પોથીયાત્રા નીકળી કથા મંડપ સુધી  પહોંચશે. કથાના મંગલાચરણ બાદ પ્રારંભ કરવામાં આવશે, જેમાં યજમાન રાવત પરિવાર દ્વારા પોથી પૂજન, ગુરુપૂજન કરવામાં આવશે. તા. 3ના રાધા મહારાણીનો  જન્મોત્સવ ઊજવાશે તેમજ તા. 4ના  કૃષ્ણ જન્મોત્સવ ઊજવાશે તેમજ આ જન્મોત્સવ નિમિત્તે રાત્રિએ રાજસ્થાનના પ્રખ્યાત શ્રી રાધે ઉપાસક ગોવત્સ વિઠ્ઠલજી ભજનિક સૂરો રેલાવશે. તા.5ના   ગોવર્ધન પૂજન  કાર્યક્રમ અને  સાંજે લલિતા સખીનીના જન્મસ્થળ ઊંચાગામ મધ્યે કચ્છના  ગાયક નંદલાલ છાંગાના સૂરો સાથે રાસોત્સવ યોજાશે. તા. 6ના  શ્રી રાધારાણી અને શ્રીકૃષ્ણનો વનવિવાહ ઉત્સવ ઊજવવામાં આવશે. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું  કે, બરસાના ધામ મધ્યે મનોરથી માતુશ્રી કર્માબેન રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન સપ્તાહમાં કચ્છ અને મુંબઇમાંથી 3000 કરતાં વધુ રસિકજનો  ઉપસ્થિત રહેશે. આ સપ્તાહમાં વિવિધ રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ   આયોજનમાં મનોરથી પરિવાર દ્વારા વિવિધ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. વિશેષમાં ત્રિકમદાજી મહારાજે જણાવ્યું હતું કેરાધે મહારાણીની પવિત્ર ભૂમિ બરસાના ધામમાં કથા રસપાન કરાવવું  એ અમૂલ્ય અવસર છે. સૌ રસિકજનોને આ પાવન કથાનો શ્રવણ લાભ લેવા  એક યાદીમાં અનુરોધ કરાયો  છે.   

Panchang

dd