• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભુજની નરનારાયણ નગરની ગટર સમસ્યા અંગે દિલ્હીની ટીમનું નિરીક્ષણ

ભુજ, તા. 20 : શહેરના નરનારાયણ નગર ખાતે વર્ષ 2015-16માં ગટરલાઇનનું કામ થયું હોવા છતાં હજુ પણ આ વિસ્તારની સમસ્યા યથાવત્ રહી હોવાની ફરિયાદના આધારે ગઇકાલે દિલ્હીથી ટીમ નિરક્ષણાર્થે આવી હતી. આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરનારા નરેન્દ્રભાઇ ઠક્કર તેમજ રહેવાસીઓના જણાવ્યા અનુસાર નરનારાયણ નગર ખાતે વર્ષ 2015-16માં અમૃત યોજના પાર્ટ-એક તથા બેમાં ગટરલાઇન નખાઇ હતી પરંતુ તે નાની અને લેવલ વિના તેમજ નબળી હોવાથી સમગ્ર વિસ્તારમાં ગટરનાં પાણીની સમસ્યા સર્જાતાં લોકો હેરાન-પરેશાન બન્યા હતા. આ અંગે ઉચ્ચ કક્ષા સુધી વારંવાર ફરિયાદ કરતાં અંતે ગઇકાલે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયની સૂચનાને પગલે ગઇકાલે દિલ્હીથી ટીમ આવી સમગ્ર કામનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે દિગુભા જાડેજા તેમજ રહેવાસીઓ ગૌરીશંકર મોતા, ધીરજભાઇ રામાણી, ભક્તિબેન અરનાણી, રેખાબેન જાડેજા, મીનાબેન દાવડા સહિતનાએ ટીમના અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવી હતી. 

Panchang

dd