• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સરફરાજે 17 કિલો વજન ઉતારી ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી

નવી દિલ્હી, તા. 10 : મુંબઈના પ્રતિભાશાળી બેટધર સરફરાજ ખાનની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઇ છે. શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં ઇજાને લીધે સાઈ સુદર્શન બહાર થયો છે. તેનાં સ્થાને સરફરાજ ખાન પસંદ થયો છે. એક સમયે સરફરાજ તેના ભારે વજનને લીધે ટીકાપાત્ર બન્યો હતો. હવે તેણે પાછલા દોઢ વર્ષમાં 17 કિલો વજન ઘટાડયું છે. તે હવે વધુ ચુસ્ત બની ટીમ ઇન્ડિયા તરફથી શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે. સરફરાજે સોશિયલ મીડિયા પર તેની નવી તસવીર શેર કરી છે.

Panchang

dd