નવી દિલ્હી, તા. 10 : શરદ પવાર
જૂથના આઠ સાંસદે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાતે સીમાંકન
વિધેયક પર સમર્થન મેળવવાના સરકારી પ્રયાસો વચ્ચે રાજકીય અટકળો જગાવી હતી. સંસદનાં ચોમાસુ
સત્રના અંતિમ સપ્તાહની શરૂઆત સાથે આ બેઠક થઇ હતી. કેન્દ્ર સરકાર સંસદમાં સીમાંકન અને
એફસીઆરએ ખરડા પસાર કરાવવા માટે પ્રમુખ વિપક્ષોનું સમર્થન મેળવવા વ્યાયામ કરી રહી છે, ત્યારે આ મુલાકાત મહત્ત્વ ધરાવે છે. દરમ્યાન,
એનસીપી-એસપીના સાંસદોએ જણાવ્યું હતું કે, આ એક
સૌજન્ય મુલાકાત જ હતી, જેમાં મહારાષ્ટ્રના મુદ્દાઓ પર ચર્ચા થઇ
હતી. વિવિધ અહેવાલોમાં એવો સંકેત અપાયો હતો કે, પવારનો પક્ષ સીમાંકન
સુધારા વિધેયક માટે કેન્દ્ર સરકારને સમર્થન આપી શકે છે.