અંજાર, તા. 10 : પૂર્વ કચ્છની પ્રાદેશિક વાહન
વ્યવહાર વિભાગ (આર.ટી.ઓ.)ની કચેરીમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સર્જાયેલી ખામી કારણે
ડ્રાઈવિંગ લાયન્સ માટે પરીક્ષા આવેલા આપવા આવેલા અરજદારોને ધક્કો પડયો હતો. વારંવાર
સર્જાતી આ પ્રકારની સમસ્યાને લઈને અરજદારોમાં રોષની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત થતી
વિગતો અનુસાર અંજાર આર.ટી.ઓ. કચેરીમાં એ.આઈ. સંચાલિત ડ્રાઈવિંગ ટેસ્ટિંગ ટેક ઉપર પરીક્ષા
આપવા માટે આજે દ્વિ-ચક્રિય અને ફોર વ્હીલરના
અંદાજિત 140 જેટલા અરજદાર પરીક્ષા આપવા
માટે આવ્યા હતા. જી-સ્વાનનું ઈન્ટરનેટ ન ચાલતું હોવાના કારણે આ કામગીરીને અસર પડી હતી.
આજે પરીક્ષા લેવાઈ જશે તેવી આશા સાથે સવારે આવેલા અરજદારોએ સાંજ સુધી પ્રતીક્ષા કરી
હતી. લાંબા સુધી પ્રતીક્ષા કર્યા બાદ પરીક્ષા લેવાની પ્રક્રિયા હાથ ન ધરાતાં નારાજ
થયેલા અરજદારોને હલ્લાબોલ કરીને જવાબદાર અધિકારી
સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે આર.ટી.ઓ. અધિકારી પી.એમ. ચૌધરીનો સંપર્ક કરતાં જણાવ્યું
હતું કે, આજે સવારથી જી-સ્વાનના ઈન્ટરનેટમાં ખામી સર્જાઈ
હતી. આ અંગે સંબંધિતો સમક્ષ રજૂઆત કરવા સહિતના ત્વરિત સ્થાનિક કક્ષાએ પગલાં લેવાયાં
હતાં. એ.આઈ. ડ્રાઈવિંગ ટેસ્ટમાં અન્ય વૈકલ્પીક વ્યવસ્થા ન હોવાના કારણે પરીક્ષા લઈ
શકાઈ ન હતી.. નોંધપાત્ર છે કે, આર.ટી.ઓ. કચેરીમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી
અંગે છેલ્લા લાંબા સમયથી સમસ્યા સર્જાય છે. દૂર-દૂરથી આવતા અરજદારોની સુવિધામાં વધારો
થાય તે માટે જવાબદારો યોગ્ય પગલાં ન ભરાતાં આ પ્રકારી સમસ્યા ઉદ્ભવતી હોવાની ફરિયાદો
ઊઠી હતી.