• શુક્રવાર, 05 જૂન, 2026

આદિપુરમાં પર્યાવરણ જાળવણી ક્ષેત્રે નોધંપાત્ર કામગીરી કરતું સોનાપુરી ટ્રસ્ટ

આદિપુર, તા. 4 : પર્યાવરણ ક્ષેત્રે આદિપુરનું સોનાપુરી ટ્રસ્ટ નેત્રદિપક કામગીરી કરી રહ્યું છે. ટ્રસ્ટની સ્થાપનાથી જ પર્યાવરણ સંવર્ધનની દિશામાં વિવિધ પ્રકલ્પો સમયાંતરે હાથ ધરાઈ રહ્યા છે. ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી જ પ્રમુખ પદે સેવા આપતા ઉદ્યોગપતિ અને શિક્ષણ પ્રેમી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા પાર્થિવ  દેહને ખુલ્લા પ્રાંગણમાં અગ્નિદાહ અપાતો હતો તે વખતે કાર્બન ડાયોકસાડનું પ્રમાણ વધી ન જાય તે માટે  સ્માશાનની બાકી જમીન ઉપર આશરે 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. જાણવણી અને સફાઈમાં મા આશાપુરા સેવા ગ્રુપનું મોટું  યોગદાન છે.  આ વૃક્ષોમાં વિવિધ વનસ્પતી ઉપરાંત ઔષધીય છોડ પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત સ્મશાનમાં લાકડાની ચાર ભઠ્ઠીઓ  પણ અડધા કરોડના ખર્ચે વિકસાવવામાં આવી છે.  ખુલ્લામાં પાર્થીવ દેહના અંતિમ સંસ્કાર માટે આશરે 300 થી 320 કીલો લાકડા  પવરાય જયારે આ ભઠ્ઠીમાં માત્ર 70 થી 80 કીલો જેટલું જ લાકડું વપરાય છે.  જેનો ધુંમાડો પણ ઉંચી ચીમની વાટે નીકળી જતાન  પર્યાવરણનું પણ જતન થાય છે.  આ કામગીરી અહી વર્ષોથી  નિયમતિ રીતે થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Panchang

dd