• રવિવાર, 19 જુલાઈ, 2026

સિંધુ જળ વિવાદમાં પાકને બેવડો ફટકો

નવી દિલ્હી, તા.17 : પાકિસ્તાને સિંધુ જળ સંધિ વિવાદને અંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા પાસે લઈ જઈ ભારત પર દબાણ બનાવવાનો પેંતરો તેને જ ભારે પડતો દેખાઈ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર ભારત દ્વારા મધ્યસ્થતાની કાર્યવાહીથી પોતાને અલગ કરવા અને સંધિને હાલમાં સ્થગિત કરવાના નિર્ણય બાદ પાકિસ્તાન માત્ર પોતાનો જ નહીં, પરંતુ ભારતના ભાગનો મધ્યસ્થતા ખર્ચ પણ ઊઠાવી રહ્યું છે. હેવાલ મુજબ ઈસ્લામાબાદ અત્યાર સુધીમાં છ લાખ ડોલરથી વધુ ખર્ચ કરી ચૂક્યું છે અને જેમ જેમ મામલો આગળ વધશે તેમ તેમ આ રકમ પણ વધવાની સંભાવના છે. સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાનને મધ્યસ્થતા કાર્યવાહીનો ખર્ચ બરાબર-બરાબર ઉઠાવવાનો હોય છે. પરંતુ એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ પ્રક્રિયામાંથી પોતાની ભાગીદારી સસ્પેન્ડ કરી હતી. ભારતના આ નિર્ણય છતાં પાકિસ્તાને મધ્યસ્થતાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને અહેવાલ મુજબ તે બંને દેશના હિસ્સાનો ખર્ચ પણ સ્વયં જ ઊઠાવી રહ્યો છે. આ આખો વિવાદ ભારતની કિશનગંગા અને રતલે જળવિદ્યુત પરિયોજનાઓને લઈને છે જે સિંધુ જળ સંધિ હેઠળ આવતી પશ્ચિમી નદીઓ પર બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાનનો આરોપ છે કે આ પરિયોજના સંધિની જોગવાઈઓનો ભંગ કરે છે. આ જ આધારે મામલાને પરમેનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન (પીસીએ)માં પહોંચાડયો હતો.  બીજી તરફ, ભારતે કહ્યું કે આ પ્રકારના ટેકનિકલ વિવાદોનું સમાધાન તટસ્થ વિશેષજ્ઞ દ્વારા થવું જોઈએ. ભારતે એવી પણ દલીલ કરી હતી કે સંધિ હેઠળ બંને વિવાદના ઉકેલની પ્રક્રિયા એક સાથે થઈ શકે નહીં. 

Panchang

dd