નવી દિલ્હી, તા. 30 : ભારતમાં પેટ્રોલ
અને ડિઝલ જેવાં ઇંધણનો વપરાશ સમય જતાં સતત વધી રહ્યો છે અને ક્રૂડ તેલના ભાવ પણ વધી
રહ્યા છે. સરકાર ઇથેનોલ જેવા વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગ પર ભાર મૂકી રહી છે. જો કે, એવી ચિંતા છે કે, ઇથેનોલનું
ઉત્પાદન કરવાથી હજારો લિટર પાણીનો વપરાશ વધી શકે છે, જે ચિંતાનો
વિષય છે. ભારત જેવા દેશમાં મોટી વસ્તી હજુ પણ ખેતી પર આધાર રાખે છે અને ઇથેનોલનાં ઉત્પાદન
માટે વપરાતા કાચા માલ માટે નોંધપાત્ર પાણીનો વપરાશ જરૂરી છે. ભારતમાં ઉગાડવામાં આવતા
મુખ્ય પાક જેમ કે મકાઈ, શેરડી અને ચોખા, પહેલાથી જ સિંચાઈ માટે નોંધપાત્ર પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. એક મીડિયા
અહેવાલ મુજબ એક લિટર ઈથેનોલ બનાવવા માટે 10790 લિટર પાણીની જરૂર પડે છે. ઇથેનોલનું મિશ્રણ ભારતનાં જળ સંકટને
વધુ વકરી શકે છે, કારણ કે ઇથેનોલ
માટેના કાચા માલ જેમ કે શેરડી અને મકાઈ, ખેતી માટે નોંધપાત્ર
પાણીનો વપરાશ જરૂરી છે. ઇથેનોલ બ્લેન્ડિગમાં
પેટ્રોલમાં ઇથેનોલ નામનો આલ્કોહોલ ઉમેરવાનો સમાવેશ થાય છે. આ આલ્કોહોલ છોડમાંથી બનાવવામાં
આવે છે. આ સરપ્લસ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ગરીબોને વહેંચવામાં
આવતા ચોખાનો હિસ્સો 25 ટકાથી ઘટાડીને
10 ટકા કરવાની યોજના ધરાવે છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા અનુસાર, ચોખામાંથી એક લિટર ઇથેનોલ બનાવવા માટે આશરે 10,790 લિટર પાણીની જરૂર પડે છે. આમાં
ખેતી દરમિયાન સિંચાઈ માટે વપરાતું પાણી પણ સામેલ છે. એક મીડિયાના અહેવાલ મુજબ, સંજીવ ચોપરાએ 2024માં દિલ્હીમાં આયોજિત વૈશ્વિક
પરિષદમાં આ ડેટા શેર કર્યો હતો.