• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થશે

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 4 : રાજ્ય સરકારે 2003 બાદ પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સ્વરૂપ બદલ્યું છે. જે મુજબ હવે, ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જાન્યુઆરીમાં યોજવાની થતી સમિટને બદલે, રાજ્યમાં ઝોનવાર-પ્રાદેશિક સમિટો (કોન્ફરન્સ) યોજાઈ રહી છે. આગામી 10-11 જાન્યુઆરી-2026ના યોજાશે અને તેનું ઉદ્ઘાટન સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. તાજેતરમાં જ 9-10 ઓકટોબરમાં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાઈ ચૂકી છે. હવે, બીજી પ્રાદેશિક સમિટ નિયત કાર્યક્રમ મુજબ 8 અને 9મી, જાન્યુઆરી-2026માં રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાવાની હતી, પરંતુ એકાએક આ બીજી પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું મહત્ત્વ એટલે વધી ગયું છે કે, તે હવે, આગામી 10-11 જાન્યુઆરી-2026ના યોજાશે અને તેનું ઉદ્ઘાટન સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. સામાન્ય રીતે વર્ષ 2003થી સતત દર 2 વર્ષના અંતરાલથી યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાતું હતું પરંતુ પ્રથમ વખત મૂળ સમિટને બદલે રાજ્યમાં ચાર પ્રાદેશિક વાયબ્રન્ટ કોન્ફરન્સ (સમિટ) યોજાવાનું નક્કી કરાયું છે. જેના કારણે જે તે પ્રદેશને મહત્ત્વ અપાય અને જે તે પ્રદેશમાં જ વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણ આવે તેવી ગણતરી સાથે આ પ્રાદેશિક સમિટ યોજાઈ રહી છે. હાલને તબક્કે એમ મનાઈ રહ્યું છે કે, તાજેતરમાં કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ વ્યાપક રાજકીય અસર ઉભી કરી હોવાની સંભાવના વ્યક્ત થઈ  રહી છે. જો, આ સમીકરણો ખરેખર કામ કરી રહ્યાં હોય તો, આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા અને ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને રાજકીય પીછેહઠનો સામનો કરવો પડી શકે છે. જે હાલને તબક્કે તો શક્ય ભલે ન જણાતું હોય પણ ચર્ચા એવી છે કે, આવી બદલાયેલી રાજકીય સ્થિતિમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપ હાઈકમાન્ડ સહેજ પણ જોખમ સહન કરવાના મૂડમાં નથી એટલે આ બીજી પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના ઉદ્દઘાટન માટે વડાપ્રધાને ગુજરાતમાં રાજકીય માહોલ બનાવવા મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. પ્રથમ ઉત્તર ગુજરાત વાયબ્રન્ટ કોન્ફરન્સનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું અર્થાત આ પ્રાદેશિક સમિટનું મહત્ત્વ પ્રાદેશિક કક્ષા પૂરતું જ સીમિત છે. હવે, આ વખતે બીજી પ્રાદેશિક સમિટ-કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ રાજકોટ ખાતે 8-9મી, જાન્યુઆરીએ યોજાવાની હતી. તેના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

Panchang

dd