ગાંધીધામ, તા. 5 : અંજાર
તાલુકાના વરસામેડીમાં રહેનાર મૂળ બલિયા ઉત્તરપ્રદેશના નિશાબેન સત્યેન્દ્રસિંઘ
રાજપૂત સામે અગાઉ માદક પદાર્થની કલમો તળે ગુનો નોંધાયો હતો, જેમાં આ મહિલા પકડાઈ
નહોતી. દરમ્યાન પોલીસે કોર્ટમાંથી વોરંટ મેળવી સચોટ બાતમીના આધારે આ મહિલાને પકડી
પાડી હતી. અગાઉ પણ આ મહિલા સામે એનડીપીએસની કલમો તળે ગુનો નોંધાયો હતો.