ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 27 : આજે અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન પહેલીવાર ગજરાજ બેકાબૂ બનતાં
અફરાતફરી મચી હતી. જોરથી વાગતા ડી.જે.ને લીધે હાથી વિચલિત થયા હતા. પહેલીવાર ત્રણ ગજરાજને
રથયાત્રામાંથી બહાર કાઢવા પડયા છે . યાત્રા જ્યારે અમદાવાદના જૂના અને ગીચ એવા ખાડિયા
વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે
અચાનક રથની આગળ ચાલી રહેલા આકર્ષણનું કેન્દ્ર એવા 16 ગજરાજો પૈકી એક હાથીએ સંતુલન
ગુમાવ્યું. ક્ષણભર માટે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. હાથી બેકાબુ થતાની સાથે
જ લોકોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો આ હાથી બેકાબુ થઈને ભીડમાં ઘૂસી
જાત, તો મોટી જાનહાનિ થઈ શકત. પરંતુ, તાત્કાલિક ધોરણે ડોક્ટરો, પોલીસ અને વન વિભાગની ટીમો
ઘટના સ્થળે પહોંચી ગઈ. તેમણે ઝડપથી અને સૂઝબૂઝપૂર્વક હાથીને કાબૂમાં લીધા હતા. બે-ત્રણ
જણને સામાન્ય ઇજાઓ થઇ છે. અમદાવાદ ઝૂના ડિરેક્ટર ડો. આર. કે. શાહુએ જન્મભૂમિ પત્રો
સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, અમે રથયાત્રા પહેલાં તમામ હાથીનું
ચેકિંગ કરીએ છીએ, ત્યારબાદ ભીડ વચ્ચે લઇ જવા માટે હાથી યોગ્ય
છે કે, નહીં એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આપીયે છીએ. આ રથયાત્રામાં
17 હાથીમાંથી એક નર અને 16 માદા હાથીની સંપૂર્ણ ચેક્સની
કરી હતી, પરંતુ રથયાત્રા દરમ્યાન અમુક ડેસિબલથી વધુ અવાજે
ડી.જે. વાગવાને કારણે નર હાથીએ ચોંકીને ચીસ પાડી ભાગવાનો પ્રયાસ કર્યો અને એની પાછળ
બીજી બે માદા હાથણ પણ ગઈ, એનાં કારણે અફરાતરફીનું વાતાવરણ બન્યું
હતું, પ્રાણીઓ અમુક ડેસિબલથી વધુ અવાજ હોય તો આવું વર્તન કરે
છે, પણ અમે એમને કાબૂમાં લઇ યોગ્ય સ્થળે ખસેડી લીધા છે,
રથયાત્રામાંથી દૂર કર્યા છે. તકેદારી માટે ટ્વિનકીલાઇઝરનું ઇન્જેક્શન
આપી શકે એવા શાર્પશૂટર સ્કૂટર પણ સાથે રાખ્યા
છે, જેથી કોઈ અપ્રિય ઘટના બને નહીં.