• શનિવાર, 28 જૂન, 2025

કર્ણાટકમાં એક દિ'માં પાંચ વાઘનાં મોત

નવી દિલ્હી, તા. 27 : કર્ણાટકનાં હુગ્યામ હિલ્સ વનવિસ્તારમાં એક જ દિવસમાં પાંચ વાઘનાં મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે આ જંગલમાંથી જ એક ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે ગાયને ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા છે. જેને પગલે મૃત વાઘ અને તેનાં ચાર બચ્ચાંને પણ ઝેરથી જ મારી નાખવામાં આવ્યાની આશંકાએ વન્યજીવ સંરક્ષણ તંત્રમાં હલચલ મચી ગઈ છે. રાજ્ય સરકાર તરફથી આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનાં આદેશ આપી દીધા છે. આ પાંચેય વાઘનાં શબ ગુરુવારે મહદેશ્વરા હિલ્સનાં હુગ્યામ વનવિસ્તારમાં મળી આવ્યા હતાં. વન વિભાગનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર યા તો ગાયને જંગલમાં છોડતા પહેલા ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે અથવા તો ગાય મૃત હાલતમાં મળી આવ્યા બાદ તેનાં ઉપર ઝેર છાંટી દેવામાં આવ્યું હતું. આ ગાયનું માંસ ખાઈને જ વાઘનાં મોત થયા હોઈ શકે છે. કર્ણાટકનાં વનમંત્રી ઈશ્વર ખાંદ્રેએ આ પ્રકારની થિયરીને સમર્થન કર્યુ છે અને કહ્યું હતું કે, સરકાર આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. તમામ પરિમાણોથી આની તપાસ કરવામાં આવશે અને કોઈપણ અપરાધીનો બક્ષવામાં નહીં આવે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd