હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 27 : કચ્છ એ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના વિકાસ વિઝનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને ઊભરી આવ્યું છે. કચ્છ માટે જેમને વિશેષ
લગાવ છે એવા નરેન્દ્રભાઇએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની સંસ્કૃતિ
અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવ્યું છે, એવું ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનો પ્રારંભ કરાવતાં
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે
જણાવ્યું હતું. તેમણે કચ્છી માડુઓને નવાં વર્ષની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું
કે, કચ્છે પોતાના ખમીર અને જમીરનાં દર્શન કરાવી વિશ્વમાં પોતાની
આગવી ઓળખ ઊભી કરી છે. રોશની અને રંગબેરંગી લાઇટોથી ઝગમગતા હમીરસર કાંઠે 62 ફ્લોટ સાથે 2500થી વધુ કલાકારોએ કચ્છની સાથે
દેશની સંસ્કૃતિનાં દર્શન ઉપસ્થિત જનમેદનીને કરાવ્યાં હતાં. વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી
અને ઉપસ્થિત અન્ય મહાનુભાવો આ કૃતિઓ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા. ભુજ સહિત કચ્છની
ઉત્સવપ્રિય જનતા માટે મોટી સંખ્યામાં ઊમટી પડતાં કાર્નિવલ જાણે લોક ઉત્સવ બની રહ્યો
હતો. ખેંગારપાર્કથી લેકવ્યૂ તરફના માર્ગે મેળા જેવો માહોલ સર્જાયો હતો. કચ્છ એટલે પ્રવાસન
વિકાસનો પર્યાય કચ્છ કાર્નિવલમાં કચ્છીયતના રંગે રંગાઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના
પ્રેરક સૂચનને ઝીલનાર સાંસદ વિનોદ ચાવડાને અભિનંદન પાઠવતાં ઉમેર્યું કે, વડાપ્રધાને ભૂકંપનો માર ઝીલનારા કચ્છને ફરી
બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યો છે. કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા
વડાપ્રધાને કચ્છનું પુન:નિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપી છે. વિકાસનાં કારણે
જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને `બેસ્ટ ટૂરિઝમ વિલેજ'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ધોળાવીરાની
પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે. પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાને
આપેલા `િવકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને
પણ વિકાસના નવા આયોમોથી સાકાર કરી રહ્યું છે તેમાં કોઇ બેમત નથી. - રિન્યૂએબલ એનર્જીનાં ઉત્પાદનમાં
કચ્છનો મોટો ફાળો : કચ્છને એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ
ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને કચ્છમાં પ્રવાસનની સાથેસાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું
છે. ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્ક કાર્યરત થતાં રિન્યૂએબલ એનર્જી ઉત્પાદનમાં
કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે. - કાર્નિવલ કચ્છી માડુના દિલની નજીક : વિનોદભાઈ : સાસંદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતાં
પ્રવચનમાં કહ્યું હતું કે, આષાઢી બીજ
એટલે દેશ-વિદેશમાં વસતા દરેક કરછી માડુઓનો લોકઉત્સવ. આષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર
કરતા હોય છે, સાગરખેડુઓ દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે
ઘરે લાપસીનાં આંધણ મુકાતા હોય છે, ત્યારે આ ઉત્સવ દરેક કરછી માડુના
દિલની નજીક છે. તેમણે કચ્છમાં કાર્નિવલની શરૂઆત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,
વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની
શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ઓપરેશન સિંદૂર બાદ ભુજ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપી હતી. - અગ્રણીઓની ઉપસ્થિતિ : કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ
જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યમુનસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઇ દવે, મોરબી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા,
માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, મુંદરા
નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ
કોડરાણી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઇ રાઠોડ, રાપર નગરપાલિકા
પ્રમુખ ચાંદકુમાર ઠક્કર, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ,
મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપસિંહ, નરેન્દ્ર પ્રજાપતિ, રાજવી પરિવારના ઇન્દ્રજિતાસિંહ જાડેજા,
તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજાસિંહજી, દેવપર ઠાકોર
પરિવારના કૃતાર્થાસિંહજી, પ્રતાપાસિંહ હનુમંતાસિંહજી,
કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ
ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ અને એસ. કે. ચૌધરી સહિત હાજર રહ્યા હતા. સમાજ
નવનિર્માણ ટ્રસ્ટ, કચ્છ જિલ્લા ભાજપ તેમજ જિલ્લાના ચૂંટાયેલા
પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ અભિવાદન કરાયું હતું. આયોજન સમિતિના રિતેન
ગોર, હિતેષ ખંડોર, અશોક હાથી, રવીન્દ્ર ત્રવાડી, મહિદીપસિંહ જાડેજા, પ્રફુલ્લસિંહ જાડેજા, દીપક ડાંગર, મનીષ બારોટ, પૂજન મકવાણા, મોહન
ચાવડા, કિશોર મહેશ્વરી સહિતે સાંસદ કચ્છ કાર્નિવલને સફળ બનાવવા
જહેમત ઉઠાવી હતી. સંચાલન આયોજનના સંયોજક પંકજ ઝાલાએ કર્યું હતું.