ગાંધીધામ, તા. 3 : ભચાઉના નાની ચીરઇ નજીક રિક્ષાચાલકને
રોકાવી છ શખ્સે પાઇપ, ધારિયા વડે
માર મારતાં આ આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સામખિયાળીમાં રહેનાર ફરિયાદી
લતીફ ઇબ્રાહીમ ખલીફા ગઇકાલે સવારે મુસાફર લઇને ગાંધીધામ આવ્યા હતા ત્યાંથી પરત સામખિયાળી
જવા નીકળ્યા હતા. આ આધેડ નાની ચીરઇ પાસે પહોંચ્યા હતા ત્યારે કાર અને બાઇક પર સવાર
છ શખ્સ આવ્યા હતા જેમાં રિયાઝ મુસા ખલીફા, આદિલ અનવર ખલીફા,
અનવર અબ્દુલ ખલીફા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સ હતા. આ શખ્સોએ આધેડ ઉપર
પાઇપ-ધારિયા વડે હુમલો કરી નાસી ગયા હતા. ઘવાયેલા રિક્ષાચાલકને વધુ સારવાર અર્થે આદિપુરની
હોસ્પિટલમાં લઇ જવાતાં તેમને બંને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર
આવ્યું હતું. આ ફરિયાદીનો દીકરો એક યુવતીને લઇને ચાલ્યો ગયો હોવાથી તેનું મનદુ:ખ રાખી
આ હુમલો કરાયો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું.