• મંગળવાર, 17 માર્ચ, 2026

આદિપુરના આત્મહત્યા કેસમાં અમદાવાદથી આરોપી જબ્બે

ગાંધીધામ, તા. 16 : આદિપુરમાં વ્યાજખોરોના ત્રાસથી શહેર ભાજપ મંત્રી દીપેશ ત્રિપાઠીએ કરેલી આત્મહત્યાના કેસમાં વધુ એક આરોપી  જેલના સળિયા પાછળ ધકેલાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ પ્રકરણમાં 18 શખ્સ સામે નાણાં ધીરધારે મરવા મજબૂર કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં મુંદરાના મહાવીરનગરમાં રહેતા આરોપી વિપુલ હરસુખલાલ રૂડાણીની એલ.સી.બી.એ અમદાવાદ-નરોડા ખાતેથી ધરપકડ કરી હતી. વધુ કાર્યવાહી માટે આદિપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી એક મહિલા સહિત ત્રણ આરોપી ઝડપાયા છે.

Panchang

dd