• શનિવાર, 28 જૂન, 2025

ભુજમાં અગમ્ય કારણે મહિલાનો આપઘાત

ભુજ, તા. 27 : શહેરના પડદાભિટ્ટ હનુમાન મંદિર પાસે રહેતા હિનાબેન મહેશપુરી ગુંસાઈ (ઉ.વ. 40) નામના મહિલાએ કોઈ અગમ્ય કારણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી હિનાબેન પોતાના ઘરે હતા ત્યારે કોઈ અકળ કારણે તેમણે ઝેરી દવા ગટગટાવી હતી. તેમને સારવાર માટે તાત્કાલિક ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડયો હતો. ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd