• ગુરુવાર, 26 જૂન, 2025

ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે ગાંધીધામના હરવંશની નવ છગ્ગા સાથે આતશી સદી

લોફબોરો (લંડન), તા. 25 : ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમે ટૂર મેચમાં ઇંગ્લેન્ડ યંગ લાયન્સ વિરુદ્ધ 231 રનના વિશાળ અંતરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ મેચમાં સૌરાષ્ટ્રના યુવા વિકેટકીપર ગાંધીધામના હરવંશ પંગાલિયાએ 9મા ક્રમે બેટિંગમાં આવીને ફક્ત બાવન દડામાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાથી અણનમ 103 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. હરવંશ પંજાબી મૂળનો ખેલાડી છે અને તેનો પરિવાર કચ્છના ગાંધીધામમાં વસવાટ કરે છે.  પ્રથમ દાવ લેનાર ભારતીય અન્ડર-19 ટીમે પ0 ઓવરમાં 9 વિકેટે 442 રન ખડક્યાં હતા. હરવંશની સદી ઉપરાંત રાહુલ કુમાર, કનિષ્ક ચૌહાણ અને આરએસ અમરીશે અર્ધસદી કરી હતી. જવાબમાં ઇંગ્લેન્ડ યંગ લાયન્સ ટીમ 41.1 ઓવરમાં 211 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં ઓપનર અને કેપ્ટન વિલ બેનસિનની સદી મુખ્ય હતી. ભારત તરફથી નમન પુષ્પક અને વિહાન મલ્હોત્રાએ 2-2 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd