• ગુરુવાર, 26 જૂન, 2025

પરમાણુ સ્થળોને નુકસાન થયું : ઈરાન

વોશિંગ્ટન, તા. 25 : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરેલી એરસ્ટ્રાઈકથી થયેલા નુકસાન અંગે ઈરાને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, તાજેતરના યુએસના હવાઈ હુમલામાં તેના પરમાણુ સ્થાપનોને ગંભીર નુકસાન થયું છે, તો બીજી તરફ નાટો સમિટ પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાના હુમલા પછી ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયો છે. આ સાથે ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતની સંભાવના પણ દર્શાવી હતી. એક મીડિયા હેવાલ મુજબ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાગાઈએ નુકસાન અંગે પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, રવિવારે અમેરિકાના બી-2 સ્ટીલ્થ બોમ્બર્સ દ્વારા કરવામાં આવેલા હુમલા ખૂબ જ ગંભીર હતા. અમારા પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે, તેમાં કોઈ શંકા નથી. મળતી માહિતી  મુજબયુદ્ધવિરામ બાદ  - ઈરાનમાં ઈન્ટરનેટ સેવા ફરી યથાવત થઈ છે. : બીજીબાજુ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા અને તે સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ એક નિર્ણાયક કાર્યવાહી હતી. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, હું હિરોશિમા અને નાગાસાકીનું ઉદાહરણ આપવા માગતો નથી, પણ તે મૂળભૂત રીતે એક જ વસ્તુ હતી. આનાથી તે યુદ્ધનો અંત આવ્યો હતો. ઈરાન પર અમેરિકાના તાજેતરના હુમલાથી યુદ્ધનો અંત આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd