• શનિવાર, 28 જૂન, 2025

મોટા ભાડિયાના સંતવાણી સાધકે પંદર લાખની ઘોરની રકમ ગૌસેવામાં આપી

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 27 : આપણા ધર્મશાસ્ત્રોમાં અનેકવિધ સેવાના પ્રકારો સાથે ગૌસેવાને શ્રેષ્ઠ પ્રધાન સ્વરૂપ સેવા માનવામાં આવી છે. આ સેવા કરનારને અનેક ફાયદાઓ ફળીભૂત થતા હોવાનો શાત્રકારો કહે છે અને ગાયની સેવા કરવાથી જીવનમાં આવનારી આપદાઓ પણ ટળી જાય છે એવી કળિયુગની શ્રેષ્ઠ સેવા એટલે ગૌસેવા. આવી સેવા કરવાનો અવસર તાજેતરમાં આ ગામના જાણીતા ભજનિક હરિભાઈ લખમણભાઇ ગઢવીને ત્યાં સાંપડયો હતો. સામાજિક પ્રસંગે તેમણે ગૌસેવા લાભાર્થે બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પ્રથમ દિવસે સંતવાણીમાં કીર્તિદાનભાઇ ગઢવી, દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), પુનશીભાઈ ગઢવી, હકાભા ગઢવી, બિરજુ બારોટ, વિજયભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી, શૈલેશ મારાજ, નીલેશ ગઢવી, મુબારક ગજણ, નરેન્દ્રાસિંહ જાડેજા સહિત કચ્છ -સૌરાષ્ટ્રના કલાકારોએ સ્વરથી ઈશ્વર સુધીની યાત્રા ગણાતી સંતવાણીમાં રમઝટ બોલાવી હતી. દ્વિતીય  દિવસે માતૃશક્તિ મહિમાગાન સ્વરૂપે યોજાયેલા રાસ-ગરબાનાં આયોજનમાં કલાકારો બ્રિજરાજદાન ગઢવી, તેજદાન ગઢવી, રણવીર ગઢવી, આદિત્ય ગઢવી, વિશાલ ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, પૂનમબેન ગઢવી, દેવલબેન ગઢવી, સોનલબેન સંઘાર, વિજયાબેન વાઘેલા સહિતના કલાઉપાસકોએ  ભક્તિરસ પીરસ્યો હતો. ગૌસેવાના લાભાર્થે યોજાયેલા આ બંને કાર્યક્રમોમાં થયેલી ઘોરની આવક રૂા. 15 લાખ આ પરિવારે ગૌસેવામાં અર્પણ કરી ધાર્મિક ફરજ અદા કરી હતી. નાગેશ્વરી માતાજી, કમળામા, ખીમશ્રીમા, ધનબાઈમા, વાલબાઈમા, આશામા, સંતો કલ્યાણદાસજી, અર્જુનનાથજીએ આશીર્વચન પાઠવી સરાહના કરી હતી. જાણીતા સમાજસેવક વાલજીભાઈ કરસનભાઈ બાનાયત, ભારમલ લખમણ ગઢવી, હરદાસ ખેંગાર ગઢવી, રામભાઈ ગઢવી, આલાભાઇ ગઢવી સહિતનાઓ સહયોગી રહ્યા હતા. દાનની રકમ સ્વીકારતાં મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ પચાણ દાદાભાઈ ગઢવી, ટ્રસ્ટીઓ મૂરજીભાઈ કરસન બાનાયત, ખીમરાજ જીવરાજ ગઢવી, રાણશી રણમલ ગઢવી સહિતનાઓએ પરિવારની ધાર્મિક ભાવનાને બિરદાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd