નખત્રાણા, તા. 27 : વિથોણની ધરતી પર આજનો દિવસ
ભક્તિ-ભાવનાથી ઊજવાયો હતો. પરંપરાગત આષાઢી બીજની 418 વર્ષની ઉજવણી ખેતાબાપાની સ્મૃતિ સાથે ભક્તિ અને ભાવના જગાવતી
આ પવિત્ર પરંપરાએ સૌને ભક્તિમય કરી દીધા હતા. બપોરે ઢળતા સમયે 418 વર્ષની પરંપરા પ્રમાણે ગામની
વઉવારુ ખાસ નવી 400 વહુએ માથે
બેડું લઇ પાણીથી ખેતાબાપાની સમાધિ પર પ્રક્ષાલન કર્યું. માથા નમાવતાં ભક્તિનો સાગર
વહાવ્યો હતો. 200 વૃદ્ધ વડીલોનાં ચરણ પખાળવાના
આ પવિત્ર પ્રસંગે અનોખું ઉદાહરણ સર્જાયું હતું અને ત્યારબાદ વૃદ્ધ અને યુવાન સૌ કોઇ
જલ પ્રક્ષેપણ કરી પાણીની રેલમછેલ માંડી અને સૌ કોઇ ભક્તિ ભાવનાથી ભીંજાયા હતા. પ્રથમ
દિવસની રાત્રિએ (આષાઢી બીજની) પૂર્વ સંધ્યાએ રાત્રે મહારાસની રમઝટ જામી હતી. જ્યારે
આજે આષાઢી બીજના સવારે પાટીદાર ભાવિક જ્ઞાતિબંધુઓ દ્વારા ખેતાબાપાનાં મંદિર સ્થાનકે
ચડતર, ઉછામણી, ધ્વજારોહણ,
શોભાયાત્રા, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદ યોજાયો
હતો. કાર્યક્રમમાં ભક્તો દેશ-પરદેશથી આવ્યા હતા. ગામ તથા આજુબાજુના મોટી સંખ્યામાં
ભાવિકો મહાપ્રસાદ સહિત કાર્યક્રમમાં જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ શંકરભાઇ દેવજી પદમાણી,
મહામંત્રી કાન્તિલાલ રામજી પદમાણી, સત્યનારાયણ
સમાજના પ્રમુખ બચુભાઇ નાયાણી, આણંદસર પા. સમાજના પ્રમુખ લધારામ
લિંબાણી, રતિલાલ ખેતાણી, પા. યુવક મંડળના
નરેન્દ્ર સામાણી, મહિલા મંડળના લીલાબેન પદમાણી, નિતાબેન સુરાણી, દમયંતીબેન પદમાણી, પ્રેમિલાબેન રૂડાણી સહિત ટીમે સહયોગ આપ્યો હતો. વ્યવસ્થા દિલીપભાઇ નરસિંગાણી,
શાંતિલાલ નાયાણી, વિનોદભાઇ ખેતાણી, હરેશભાઇ માનાણી, તુલસીભાઇ પદમાણીએ વ્યવસ્થા સંભાળી હતી.
વરસાદી માહોલમાં ભાવિકો મહાલ્યા હતા.