• બુધવાર, 19 નવેમ્બર, 2025

દૃઢ મનોબળ થકી સરદાર લોખંડી પુરુષ

ભુજ, તા. 18 : દેશના સપૂત અને લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં વહીવટી તંત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છેકચ્છ જિલ્લામાં પણ તમામ છ વિધાનસભામાં એકતા  પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભુજ વિધાનસભા મતવિસ્તારની પદયાત્રા આજે એમ એસ વી હાઈસ્કૂલ માધાપર થી શરૂ થઇ ગાંધી સર્કલ, મઢુલી, આરટીઓ સર્કલથી, જીઇબી થઇ જ્યુબિલી ગ્રાઉન્ડ પર પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ કલેકટર આનંદ પટેલ, પ્રદેશમાંથી ખાસ વક્તા તરીકે ઉપસ્થિત એવા ભરતાસિંહ ભાટેસરીયા, તેમજ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, જિલ્લા ના હોદેદારો ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ,પચાણ સંજોટ, વિજુબેન રબારી, પ્રફુલાસિંહ જાડેજા,ભુજ તાલુકા ભાજપ અધ્યક્ષ ભીમજીભાઈ જોધાણી, શહેર અધ્યક્ષ મિતભાઈ ઠકકર, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી સહિત સંગઠન ના આગેવાનો, મોરચાના પદાધિકારીઓ, નગરપાલિકા ના ચેરમેન, કાઉન્સિલરો, કાર્યકર્તાઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, સામાજીક આગેવાનો દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા ને તેમજ આગેવાનોને ફુલહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલ અમર રહો, ભારત માતા કી જય ના નારા લગાવી દેશભક્તિ નો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થયાં હતા. આ પદયાત્રા ને રસ્તા માં ઠેર ઠેર ફુલહાર થી સ્વાગત કરી આવકાર અપાયો હતો. યાત્રાની શરૂઆતમાં માધાપર ખાતે યોજાયેલી સભામાં આગેવાનો દ્વારા ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે, સરદાર પટેલે જે દેશ માટે કર્યું છે તે દેશવાસીઓ ક્યારેય ભૂલશે નહી અને  દેશ તેમને કરેલા કાર્યો માટે હંમેશા ઋણી રહેશે. ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર પટેલને દેશના પનોતા પુત્ર કહી તેમના આદર્શઓને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે બોલતા ભરતાસિંહ ભાટેસરીયા એ સરદાર પટેલે દેશ માટે લીધેલા અમૂલ્ય નિર્ણયો અને તેમના દ્રઢ મનોબળ ને યાદ કરી જણાવ્યું હતું કે સરદારે 565 અર્ધસ્વાયત્ત રજવાડાં અને બ્રિટિશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યુ હતું અને તેમના દ્રઢ મનોબળ ને લીધે તેમને લોખંડી પુરુષ તરીકે નું બિરુદ મળ્યું હતું. આગામી તા. 19/11ના ગાંધીધામ વિધાનસભા, 20/11ના અંજાર અને માંડવી વિધાનસભામાં તેમજ 22/11ના રાપર વિધાનસભામાં આ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.  

Panchang

dd