નવી દિલ્હી, તા.13: ભ્રષ્ટાચાર
વિરોધી કાયદાની વર્ષ 2018ની એક જોગવાઈની
બંધારણીય વૈધતા મુદ્દે સુપ્રીમ કોર્ટે ખંડિત ચુકાદો આપ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની
આ જોગવાઈ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સામે તપાસ શરૂ કરતાં પહેલા અનુમતી લેવી અનિવાર્ય
બને છે. ચુકાદામાં મતભેદ હોવાનાં કારણે હવે આ મામલો દેશનાં પ્રમુખ ન્યાયધીશ(સીજેઆઈ)
સૂર્યકાંત સમક્ષ મૂકવામાં આવશે. જેથી અંતિમ ફેંસલો કરવા માટે નવી પીઠની રચના થઈ શકે.
ભ્રષ્ટાચાર નિવારણ કાયદો - 1988 સંબંધિત આ
કેસમાં ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાએ કહ્યું હતું કે,
ભ્રષ્ટાચાર નિવાર અધિનિયમની
કલમ 17-એ ગેરબંધારણીય છે. તેને રદ
કરવી જોઈએ. પૂર્વ સ્વીકૃતિ અનિવાર્ય હોવા અંગે સવાલ ઉઠાવતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું
હતું કે, આ શરત કાયદાની મૂળ ભાવનાની જ વિરુદ્ધ છે. તેનાથી
તપાસમાં વિક્ષેપ ઉભો થાય છે. કાયદાની આવી કલમોથી ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ મળી જાય છે.
જો કે, આ કેસની સુનાવણી કરતી પીઠનાં અન્ય સદસ્ય ન્યાયમૂર્તિ કે.વી.વિશ્વનાથને
પોતાનાં ચુકાદામાં આ કલમને બંધારણીય ગણાવી છે. તેમણે પોતાનાં ફેંસલામાં લખ્યું હતું
કે, આ કલમ બંધારણીય છે,
જેનાથી ઈમાનદાર અધિકારીઓને રક્ષણ મળે છે અને તેનાં ઉપર પણ ભાર મૂકવો
જરૂરી છે.