ભુજ, તા. 28 : રાષ્ટ્ર અને સમાજની આધ્યાત્મિક
ઉન્નતિ માટે યજ્ઞ શ્રેઁષ્ઠ છે, તેવું
ભુજમાં આર્યસમાજ પ્રેરિત પર્યાવરણ શુદ્ધિ-વર્ષા મહાયજ્ઞમાં હરિદ્વારથી વચ્ચુર્યઅલી
સંબોધન કરતા યોગગુરુ બાબા રામદેવે આ મુજબ જણાવ્યું હતું. ભુજ મધ્યે ચાલતા વર્ષા મહાયજ્ઞમાં
હરિદ્વારથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઈને રામદેવજી મહારાજે સંબોધન કરતાં જણાવ્યું કે,
દરેક વ્યક્તિ શક્ય હોય તો દરરોજ યજ્ઞ કરે. સમાજ, રાષ્ટ્ર, તથા વ્યક્તિની આત્મિક ઉન્નતિ માટે તે શ્રેષ્ઠ છે. તેમણે ગુજરાતી ભાષામાં સંબોધન કરી
ઉપસ્થિત સર્વેનો આત્મીય ભાવ મેળવ્યો હતો. વિશેષ ઉપસ્થિત રહેલા માંડવી વિભાગના ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, યજ્ઞકર્મ નિષ્કામ કર્મ છે,
કૃત્રિમ વરસાદના પ્રયોગમાં તે ઉપયોગી છે. સમિતિની આવી સમસ્ત જીવકલ્યાણ
માટે થતી પ્રવૃત્તિને બિરદાવી હતી. દરમ્યાન સમસ્ત જીવકલ્યાણ સમિતિ પર્યાવરણ સંતુલન
તથા વર્ષા મહાયજ્ઞમાં વિદ્વવાન ડો. કમલ નારાયણ,
પતંજલિ હરિદ્વારના સંત યજ્ઞદેવજી
તથા શાંતાનંદજી મહારાજનાં માર્ગદર્શન તથા સાંનિધ્યમાં વિવિધ ઔષધિયુક્ત આહુતિઓ અર્પણ
કરવામાં આવી. પતંજલિના રિસર્ચ વિભાગના ડો.
અનિરુદ્ધ સહાય તથા ડો. વેદ પ્રિયાજીએ હરિદ્વારથી ઓનલાઈન જોડાઈને યજ્ઞ અંગે વૈજ્ઞાનિક
તથ્યો રજૂ કર્યા હતા. ભુજ સ્વામિનારાયણ સંપ્રદાયના
સંતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ હિંમતાસિંહ વસણ,
નવીનભાઈ વ્યાસ, મહેશભાઈ ઓઝા, રવજીભાઈ ખેતાણી, મનોજભાઈ સોલંકી, પરબતભાઈ ગોરસિયા, ભગીરથાસિંહ વાઘેલા વગેરેએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ પ્રદાન કરી હતી. કચ્છ યુનિવર્સિટીના
ડો. મૃગેશભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શનમાં વાતાવરણમાં પાર્ટિકલ્સના અભ્યાસ માટે વિશેષ
ડિવાઇસ દ્વારા ડેટા કલેક્શન તેમની ટીમ કરી રહી છે. સમિતિના સદસ્ય ડો. યોગેશભાઈ વેલાણી, મનુભાઈ
લીંબાણી, યજ્ઞેશભાઇ વેલાણી, જયદીપભાઇ પટેલ,
નારાણજી ચૂડાસમા, ગીતાબેન દડગા, જિજ્ઞાબેન વેલાણી, શાંતાબેન લીંબાણી, સીતાબેન પોકાર વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સૂત્ર સંચાલન સુરેશભાઈ પટેલ, ઉદયભાઇ વેલાણી
તથા કિરણબેન પટેલે કર્યું હતું.