નલિયા, તા. 18 : અબડાસાના કૈરવાઢ અને વડસર ગામ
નજીક રેલવે લાઇનના કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર અને સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર
રીતે માટીનું ખનન કરવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે. કૈરવાંઢ ગામના હાસમ લાણાએ આ
અંગે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરી છે. ગૌચર અને સરકારી જમીનમાંથી
માટીની ચોરી થતી હોવાથી ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે પશુધનને ચરવા
જતાં ગંભીર ઈજાઓ થવાનો ભય છે. ગ્રામજનોએ સત્વરે આ ગેરકાયદેસર ખનન બંધ કરાવવા તંત્રને
અપીલ કરી છે.