• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : પઢિયાર ઇસ્માઇલ ઇબ્રાહીમ (ઉર્ફે બબલો એમઇએસવાળા) (ઉ.વ. 64) તે હાજી અલીભાઈ (એએસઆઇ), ઇલિયાસ, બાવા, મ. આમદ , મ. મુહમ્મદહુસેનના ભાઈ, ઇમરાન, મુસ્તાક, મહેબૂબ અને ગફુરના પિતા તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-2-2026ના સોમવારે સવારે 10થી 11 તાહા મસ્જિદ, સંજોગનગર અને બહેનો માટે જૂના નિવાસસ્થાન ખ્વાજા ચોક ખાતે. 

ભુજ : ભીખાલાલ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ. 79) (નિવૃત્ત બેન્ક બરોડા ભુજ) તે સ્વ. તરૂલતાબેન બી. રાઠોડ (ઇન્દ્રાબાઇ કન્યા પ્રા. શાળા, ભુજ)ના પતિ, નિપૂણ, તૃપ્તિ, પારૂલના પિતા, સ્વ. ધનકુંવરબેન બહાદુરસિંહ ગોહિલ, સ્વ. મણિબેન દલસુખભાઇ ગોહિલના ભાઇ, સ્વ. ચતુરબેન માનસંગજી પરમારના જમાઇ, ભારતીબેન મહેન્દ્રસિંહ ચૌહાણના વેવાઇ, રણજિતસિંહ પરમાર, રાજુ પરમાર, નલિનીબેન કરશનજી રાઠોડના બનેવી, રમેશભાઇ બી. રાઠોડના સસરા, શાન્વીના દાદા, તુલસી, રાશિના નાના તા. 7-2-2026 અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-2-2026ના સવારે નવ વાગ્યે  નિવાસસ્થાન પાળેશ્વર ચોક, સફાઇ સેન્ટરવાળી શેરીથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સાંજે 4થી 5 બિહારીલાલ મહાદેવ મંદિર, મૌનીકૃપા સત્સંગ હોલ, એકતા સોસાયટી પાસે, ગાયત્રી મંદિર રોડ ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

ભુજ : શંકર ચંદુ નટ (ઉ.વ.35) તે મીનાના પતિ, મનસુખ, કાલીદાસ, અલ્કેશના ભાઇ, રેશ્મા અલ્કેશ, રેશ્મા મનસુખ, મીનાના જેઠ તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક 81282 22968. 

આદિપુર : મૂળ શિકારપુર (તા. ભચાઉ)ના નારણજીભાઇ મનજીભાઇ જોબનપુત્રા (ઉ.વ. 78) તે સ્વ. મનજી રામજીના પુત્ર, નિર્મલાબેનના પતિ, સ્વ. સુંદરજી ઝવેરભાઇ ચંદે (ભચાઉ)ના જમાઇ, હરેશભાઇ, કમલેશભાઇ, જગદીશભાઇ, અરુણભાઇ, રીટાબેન પિયુષકુમાર મિરાણીના પિતાઉર્મિલાબેન, અલ્કાબેન, જ્યોતિબેન, તરૂણાબેન, પિયુષકુમાર ધીરજલાલ મિરાણી (ગાગોદર)ના સસરા, સ્વ. મણિલાલ, ભગવાનજીભાઇ, સ્વ. મનસુખલાલ, નવીનભાઇ, જયંતીલાલ, સ્વ. જયાબેન રણછોડભાઇ ઠક્કર, સ્વ. હેમલતાબેન રમણિકલાલ રાજદે, સ્વ. ભગવતીબેન રમણિકલાલ રાજદે, હરખુબેન શાંતિલાલ ચંદેના ભાઇ, સ્વ. પોપટલાલ રામજીભાઇ જોબનપુત્રાના ભત્રીજા, સ્વ. ટોકરશીભાઇ ફુલચંદભાઇ ભીન્ડે (કિડિયાનગર)ના દોહિત્ર, સ્વ. વીરજીભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, સ્વ. મગનલાલ, સ્વ. શંકરલાલના ભાણેજવિનોદભાઇ, મુકેશભાઇ, સુરેશભાઇ, સંજયભાઇ, લીલાવંતીબેન ચંદુલાલ મિરાણી, ઇન્દુબેન મનસુખલાલ પૂજારાદક્ષાબેન અરવિંદભાઇ ઘટ્ટા, જયશ્રીબેન દિનેશભાઇ પૂજારા, સ્વ. ત્રિવેણીબેન મોહનલાલ રાણા, મીનાબેન મોહનલાલ રાણાના બનેવી, રાહુલ, કરણ, કુંજલ, અપેક્ષા, પ્રિયલ, દેવ, કુશલ, મેહુલ, ઘનશ્યામ, ધૈર્યના દાદા, અભય, અંજલિના નાના, હરશિવના પરદાદા તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-2-2026ના રવિવારે સાંજે 4.30થી 5.30 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી.)

અંજાર : મૂળ આધોઇના ગોકળભાઇ ધનજીભાઇ કોરડિયા (ગોકુલ પાઉંભાજીવાળા) (ઉ.વ.63) તે મીઠીબેનના પતિ, સ્વ. જેવાબેન ધનજીભાઇ નરશીભાઇના પુત્ર, મહાદેવભાઇ, મોહનભાઇ, સ્વ. લાલજીભાઇ, રાણાભાઇ, વનિતાબેન કરસનભાઇ હમીપરા (ભચાઉ), પાંચીબેન વેલજીભાઇ ઝંડાડિયા (ઘરાણા)ના ભાઇ, વાલજીભાઇ માવજીભાઇ ચોનાણી (ઘરાણા)ના જમાઇ, સ્વ. વેજીબેન રણછોડભાઇ નરશીભાઇ કોરડિયા, ગં.સ્વ. વેજીબેન મનજીભાઇ ચોનાણીના ભત્રીજા, મહેન્દ્ર, નીતિન, જ્યોતિ કમલેશ ચોનાણી (ભચાઉ), રંજન રાજેન્દ્રભાઇ હમીપરા (ભચાઉ)ના પિતા, સ્વ. વાઘજી, નરેન્દ્ર, સ્વ. જીવતીબેન, મીઠીબેન, ગીતાબેનના મોટા ભાઇ, ભરત, ભાવેશ, ચંદ્રિકા, દીપક, મનોજ, લતાના કાકા, રાજેશ, કિશન, સ્વ. કાન્તા, સાગર, નેહાના મોટા બાપા, ધૈર્ય, ભવ્ય, ક્રિષ્ના, પ્રિયાંશી, આધ્યાના દાદા, આરવી, નિરલ, શ્રેયા, ક્રિષ્ના, જન્મજયના નાના, વૈશાલી, ભક્તિના સસરા તા. 6-2-2026ના અવસન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 મચ્છુ કઠિયા સઇ સુતાર વાડી (દરજી સમાજવાડી), મેઘપર રોડ, નયા અંજાર ખાતે. 

માંડવી : મ.ક.સ.સુ. કિશોરભાઇ વિશનજી પરમાર (ઉ.વ.75) તે સ્વ. નર્મદાબેન વિશનજીના પુત્રજયાબેનના પતિસ્વ. વીણાબેન (બબીબેન) વિઠ્ઠલદાસ ચૌહાણ (માધાપર), ધનગૌરીબેન મોહનલાલ પરમાર (માધાપર)ના ભાઇસ્વ. રવિલાલભાઇ મીઠુભાઇ (રાયપુર), સ્વ. અનુપભાઇ મીઠુભાઇ (માધાપર)ના કાકાઇ ભાઇ, મહેશ, કીર્તિદા, પ્રકાશ, વિજયના પિતા, રેશ્માબેન, રૂપાલીબેન, મિતલબેન અને રાજેશભાઇ પીઠડિયાના સસરા, ભવ્ય, ટીશા, વીર અને હીરના દાદા, ખુશી અને વિરાજના નાનાસ્વ. જવેરબેન જેન્તીલાલ પીઠડિયા (દેશલપર)ના જમાઇતુલસીભાઇ લીલાવંતીબેન વિઠ્ઠલદાસ પરમાર (ડોમ્બીવલી), ગં.સ્વ. રસીલાબેન મુળજીભાઇ ચાવડા (માંડવી), ભરતભાઇ બનેવી તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે. 

નખત્રાણા : મૂળ છસરાના લાલજીભાઇ પાયર (ઉ.વ.52) તે સ્વ.ભચીબાઈ અને સ્વ. થાવરભાઈ દેવાના પુત્ર, જેઠાલાલ થાવર, નાનબાઈ ભચુ બુચિયા (શિરાચા)ના ભાઈ, હીરજીભાઈ ખજુરિયા, રાણબાઈના કાકાઈ ભાઈ, શંકરભાઈ બુધા ગોરડિયાના ભાણેજ તા. 6-2-2026ના અવસાન  પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-2-2026ના રવિવારે સાંજે આગરી અને ઘડાઢોળ પાણી તા. 9-2-2026ના સોમવારે સવારે નિવાસસ્થાન મફત નગર, નખત્રાણા ખાતે. 

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : પ્રફુલ્લભાઇ મનસુખલાલ વીરચંદભાઇ વોરા (ઉ.વ.72)  તે સ્વ. સૂરજબેન (સુશીલાબેન) મનસુખલાલ વોરાના પુત્રસ્વ. ગિરીશ, સ્વ. સરોજ, હરેશના ભાઈરાખી વૈભવ શાહ (સુરત)દીપ્તિ ચિરાગ શાહ (હૈદરાબાદ)ના કાકાપ્રતિભા ગિરીશ વોરાના દિયર, હરિલાલ, ચંદ્રકાંત, શૈલેષ, પુષ્પા, ડોલી, કુસુમ, સરલા, પ્રીતિ, પૂર્ણિમા તથા રીટાના કાકાઈ ભાઈ તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

સામત્રા (તા. ભુજ) : મૂળ દેશલપર (વાંઢાય) પ.ક.મ.સ.સુ. પરમાર કાંતિલાલ મંગલદાસ (ઉ.વ. 83) તે સ્વ. સુશીલાબેનના પતિ, સ્વ. તેજબાઇ મંગલદાસ વાલજી પરમારના પુત્ર, વીણાબેન (ભુજ), સંગીતાબેન (મોટા આંસબિયા), સ્વ. અશ્વિન, લીતેશના પિતા, રેખાબેન (સામત્રા), જયંતીલાલ (ભુજ), નીલેશભાઈ (આંસબિયા)ના સસરા, ભૂમિના દાદાજી સસરા, આર્યન, રુચિ, વેદ, વંશ, તનિશ્કના દાદા, સ્વ. પ્રેમિલાબેન જેરામભાઈ ગોહીલ (બળદિયા), રંભાબેન લાલજીભાઈ ગોહીલ (મંગવાણા), સ્વ. પોપટભાઈ (નાસિક), સ્વ. વિશનજીભાઈ (દેશલપર), વિમળાબેન મોહનભાઈ પરમાર (મુંદરા)ના ભાઈ, પ્રફુલ્લભાઈ (દેશલપર), દમયંતીબેન (કલ્યાણપર)ના કાકાઈ ભાઈ, સ્વ. કરસનભાઈ વાલજીભાઈ (દેશલપર)ના ભત્રીજા, ગં. સ્વ. તારાબેન, ગં. સ્વ. લીલાવંતીબેન, મૈયાબેનના જેઠ, ભરત, વિપુલ, દીપ્તિ, કિરણ, કાજલ, પૂજા, કોમલ, નિલમ, દીપકના મોટાબાપા, હર્ષાબેન, હેતલબેન, નિકીતાબેનના મોટા સસરાવિશાલ, ભાવિક, સ્વ. અદિતી, હર્ષ, હેન્સના નાના, સ્વ. મોરારજી હીરજી ગોહીલ (દેવીસર)ના જમાઈ તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 9-2-2026ના સોમવારે 3.30થી 4.30 વિષ્ણુ સમાજવાડી, વાડાસર રોડ-સામત્રા ખાતે. 

ખાવડા (તા. ભુજ) : સોનાઘેલા લક્ષ્મીકાંત કરશનદાસ (ઉ.વ.60) તે સ્વ. જયશ્રીબેનના પતિચાંગાબેન કરસનદાસના પુત્રસ્વ. લક્ષ્મીબેન ભવાનજી ચોથાણી (બિદડા)ના જમાઇ, સુનીલ, જિગરનીરજના પિતા, ડિમ્પલ, કિરણ, મિનાક્ષીના સસરા, વિનોદ, પ્રવીણ, મહેશના મોટા ભાઇ, રૂક્ષ્મણિબેન, રશ્મિબેન, પ્રવીણાબેનના ભાઇ, ક્રિષ્નાબેન, પૂનમબેન, દક્ષાબેનના જેઠ, કાંતિલાલ સાકરચંદના ભત્રીજા, ખ્વાઇશ, તિલક, રુદ્ર, નક્ષના દાદા, સ્વ. રણજિતભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. શાંતિલાલ, સ્વ. રૂક્ષ્મણિબેન, સ્વ. મલ્લિકાબેન (જ્યોતિબેન)ના બનેવી, શાંતિલાલ, રસિકભાઇ, ભરતભાઇના સાળા, મોહનલાલ, શંભુલાલ, હરેશભાઇ, કાંતિલાલના ભાણેજ તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 8-2-2026ના રવિવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન રૂમ નં. 70, પ્રમુખસ્વામી નગર ખાતે, પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4થી 5 રામદરબારની સામે, પ્રમુખસ્વામી નગર, ખાવડા ખાતે. 

મોટી ખેડોઇ (તા. અંજાર) : મીનાબા જાડેજા (ઉ.વ.60) તે જવુભા દોલુભાના પત્ની, ધર્મેન્દ્રસિંહ, રામદેવસિંહના માતા, કિરનસિંહ, મહેન્દ્રસિંહ, સુરુભાના ભાઇના પત્ની, નરેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહના કાકી, હરદીપસિંહના ભાભુ તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-2-2026થી તા. 13-2-2026 સુધી દરબારની ડેલી, મોટી ખેડોઇ ખાતે.  

મઉં મોટી (તા. માંડવી) : ગં.સ્વ. ભચીબાઇ માવ ભાનુશાલી (ઉ.વ. 85) તે સ્વ. જાદવજી મંગલદાસના પત્ની, ભણાજીભાઈ, બુધિયાભાઈપ્રતાપભાઈમાધવજીભાઈ, દીપકભાઈ, વિનોદભાઈ, શાકરીબાઈ તથા સ્વ. હંસાબાઈના માતા, સ્વ. પ્રધાનભાઈ, સ્વ. ટોપણદાસ, સ્વ. મુરજીભાઈના ભાઈ પત્ની, સ્વ. ખજૂરિયાભાઈ ગાંગજીભાઈના ભાભી, હિતેશ, પિયુષ, દર્શન, હર્ષદ, હિરેન, આસ્થા, ભૂમિ, પ્રિયા, કોમલ, તેજલ, કૌશલ્યા, નીલમ, શ્રદ્ધા, હેતલના દાદી, મહેશ મોહનજી શેઠિયા (શીરવા) તથા સ્વ. મુરજી લક્ષ્મીદાસ મંગે (મોથાળા)ના સાસુ, સ્વ. દામજી હેમરાજ કટારમલના પુત્રી, લક્ષ્મીદાસ તથા ખીમજીભાઈ (હમલા)ના બહેન તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 3થી 4 ભાનુશાલી વાડી, મઉં મોટી ખાતે.

તલવાણા (તા. માંડવી) : થેબા કાસમ અલીમામદ (ઉ.વ. 70) તે મ. અભુભખર, જાકબના ભાઇ, રઝાકના કાકા, થેબા જાકબ સિધિક (ભારાપર), તુર્ક મામદ દાઉદ (બાયઠ)ના કાકાઇ સસરા તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-2-2026ના સવારે  10થી 11 નિવાસસ્થાન તલવાણા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : સુખદેવસિંહ (શૈલેશસિંહ) (ઉ.વ.48) તે નટુભા માનસંગજી વાઘેલાના પુત્ર તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-2-2026 સુધી ભાયાત ડેલીમાં, ઉત્તરક્રિયા તા. 16-2-2026ના નિવાસસ્થાને ભુજપુર ખાતે.  

ભુજપુર (તા. મુંદરા) : ધારશીભાઈ કારુભાઈ નંજાર (નિવૃત્ત કર્મચારી દેનાબેંક) (ઉ.વ. 72) તે સ્વ. મેઘબાઈના પતિ, ધનવંતીબેન પરેશ શીરોખા (ગાંધીધામ), સુજાન (પ્યૂન બેંક ઓફ બરોડા-ભુજપુર), શામજી, પરી, નિર્મળના પિતા, આસમલભાઈ, સ્વ. વીરજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. કાનજીભાઈ, ચનાભાઈ માંયાભાઈ ધુળિયા, ખેતબાઈ શામજી નંજારના બનેવી, રાજાભાઈ, લખમીબેન જીવરાજ ફફલ (મેઘપર)ના ભાઈ, કિંજલ, હર્ષિદા, રોહિત, હેતાંશીના નાના, પ્રિયા, પ્રીતિ, પાર્થ, કરણ, વંશ, પ્રિન્સ, પૂર્વના દાદા તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 10-2-2026ના રાત્રે, ઘડાઢોળ તા. 11-2-2026ના નિવાસસ્થાન ભુજપુર ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : મંગલજી ગાભુભા જાડેજા (ઉ.વ.78) તે રાજેન્દ્રસિંહ મંગલજી જાડેજા, દિલીપસિંહ મંગલજી, જાડેજા જિતેન્દ્રસિંહ મંગલજીના પિતા,   જાડેજા અશ્વપાલસિંહ, જાડેજા રવિરાજસિંહ અનોપસિંહ, જાડેજા ક્રિપાલસિંહ વનરાજસિંહ, જાડેજા કાવ્યરાજસિંહ બળવંતસિંહ, જાડેજા પ્રતિપાલસિંહ બળવંતસિંહના દાદા, જાડેજા અનોપસિંહ સતુભા, જાડેજા વનરાજસિંહ સતુભા, જાડેજા દિલીપસિંહ સતુભા, જાડેજા બળવંતસિંહ ભાણજીભા, જાડેજા દશરથસિંહ ભાણજીભાના કાકા, જાડેજા અશોકસિંહ મમુભા, જાડેજા બળવંતસિંહ મમુભા, જાડેજા કિરણસિંહ મમુભાના માસા તા. 3-2-2026ના અવસાન પામ્યા છે.

રોહા સુમરી (તા. નખત્રાણા) : ભજીર કાસમ મુસા (ઉ.વ. 70) તે ભજીર હુસેન અને ઈશબના પિતા, દાઉદના કાકા, ઓસમાણના મોટા બાપુ, ભજીર મામદ રમજાનના સાળા, અબ્દુલ, અલીમામદ, હસનના સસરા, મેર હુસેન ઉમરના મામા, ભજીર આમદ હાજીના બનેવી તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2026ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના રોહા સુમરી ખાતે.

વાયોર (તા. અબડાસા) : હાલે મુંબઇ અબોટી ઝવેરબેન ભાઇલાલ તે સ્વ. ભાઈલાલ તુલસીદાસના પત્ની, સ્વ. કીર્તિકુમાર, સ્વ. મંજુલાબેન, હર્ષદભાઈ, સરલાબેનના માતા, સ્વ. ગોમતીબેન જાદવજીના પુત્રી, સ્વ. કરશનદાસ, સ્વ. કાન્તિલાલ, લીલાધરભાઈ, અમૃતલાલ, સ્વ. વિઠ્ઠલદાસ સ્વ. મયાશંકરભાઈના ભાભી, ગં.સ્વ. ઉષાબેન, ભાવનાબેન, કનૈયાલાલ, સ્વ. નરેન્દ્રભાઈના સાસુ, સ્વ. કેશવલાલ, હંસાબેનના બહેન, સમીર, પ્રિયા, ખુશીલના દાદી તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 10-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 અબોટી સમાજવાડી, યાદવનગર, અંજાર ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : માંજોઠી સુલતાન (આરીફ) અદ્રેમાન (ઉ.વ. 26) તે અદ્રેમાન ધાવધના પુત્ર, હાજી ફકીરમામદ હાજી સુમારના પૌત્ર, અલ્ફાનના મોટા ભાઇહાજી હાસમ ઓસમાણ ત્રાયાના જમાઇ, મામદ, કાસમ, જુસબ (અંજાર)ના ભાણેજ તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ ફળિયા રામપર વેકરા ખાતે. 

મુંબઇ/મુલુન્ડ : મૂળ ભુજના જયેશ અમૃતલાલ કોટક (ઉ.વ.58) તે સ્વ. અમૃતલાલ દામજીના પુત્ર, સ્વ. જયશ્રીબેનના પતિ, સ્વ. તારાબેન વસંતભાઇ ઠક્કરના ભાઇ, મિહિર, માનસીના પિતા, દીપેશભાઇ નવીનભાઇ કટારિયા, જાગૃતિબેનના સસરાવાણીના દાદા, ખુશીના નાના તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.  

Panchang

dd