ગાંધીધામ,તા.16: અહીંના પરીવહન ઉદ્યોગકાર સાથે
તેના મિત્રે થોડા-થોડા સમયે કુલ રૂા. 2,46,800 ઉછીના લઈને
તે પરત ન આપી વિશ્વાસધાત કર્યો હોવાનો મામલો ફરીયાદ સ્વરૂપે પોલીસ ચોપડે નોંધાયો હતો.
શહેરમા ચાંમુડા રોડલાઈન્સ નામની ટ્રાન્સપોર્ટ ચલાવતા સહદેવસિંહ પેશકરસિંહ યાદવે એ તેના
મિત્ર અને આરોપી પ્રમોદકુમાર રામનારાયણ યાદવ વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસ સુત્રોએ
વિગતો આપતા જણાવ્યુ હતુ કે આરોપી પ્રમોદકુમાર ફરીયાદી પાસે થોડા-થોડા રૂપિયા હાથ ઉછી
લઈ જતો હતો .જે થોડા સમય પરત આપી દેતો હતો. તહોમતદારી ફરીયાદીનો વિશ્વાસ જીતીને ઓનલાઈન
અને બેંક મારફતે કુલ રૂા. 2,46,800 ઉછી લીધા હતા. આ રકમ આરોપીએ લાંબા સમ ય સુધી પરત આપી ન આપી વિશ્વાસધાત
કર્યો હતો. આ ગુન્હામાં સામેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરીને વધુ
તપાસ હાથ ધરી છે.