• શુક્રવાર, 03 મે, 2024

મોદી વિચાર મંચના કચ્છ બેઠકના પ્રભારી પદે ભુજના ધારાશાત્રી નિમાયા

ભુજ, તા. 18 : આગામી લોકસભાની ચૂંટણીની કાર્યવાહી અન્વયે નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા તેના કચ્છ-મોરબી બેઠકના પ્રભારી તરીકે ભુજના ધારાશાત્રી અને મંચના રાજય ઉપાધ્યક્ષ મગનભાઇ રાજીયા ગઢવીની નિયુકિત કરી છે. નરેન્દ્ર મોદી વિચારમંચના રાજયના પ્રમુખ ચહેરભાઇ દેસાઇ દ્વારા ધારાશાત્રી મગનભાઇ ગઢવીની નિયુકિત કરાઇ હતી અને કચ્છ અને મોરબી ક્ષેત્રમાં મંચનું માળખું વધુ મજબુત બનાવવા માટેની જવાબદારી સુપરત કરી હતી. મુળ પાંચોટીયા (માંડવી)ના વતની અને હાલે ભુજ સ્થિત  શ્રી ગઢવી વકિલાત ક્ષેત્રે કાર્યરત હોવા ઉપરાંત નરેન્દ્ર મોદી વિચારમંચના રાજય ઉપપ્રમુખ પદે છે. અગાઉ તેઓ મંચમાં રાજય મહામંત્રી તરીકે અને રાજય બાર કાઉન્સીલની શિસ્ત સમિતિમાં સદસ્ય તરીકે કાર્ય કરી ચૂકયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang