• ગુરુવાર, 02 મે, 2024

મુંદરા સોપારી તોડકાંડના આરોપી પોલીસકર્મીના જામીન હાઇકોર્ટે નકાર્યા

ગાંધીધામ, તા. 18 : મુંદરા સોપારી તોડકાંડમાં પકડાયેલા એક પોલીસકર્મીએ રાજ્યની વડી અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરતાં તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. મુંદરા સોપારીકાંડમાં તપાસ કરનાર ડી.વાય.એસ.પી. એસ. એમ. વારોતરિયા અને તેમની ટીમે ફરારી જાહેર થયેલા ફરજમોકૂફ એવા કિરીટસિંહ બળદેવસિંહ ઝાલાની અટક કરી હતી. પોલીસકર્મી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ભુજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બાદમાં આરોપીએ રાજ્યની વડી અદાલતમાં જામીન ઉપર છૂટવા અરજી કરી હતી, જ્યાં બંને પક્ષોને સાંભળીને આરોપીના જામીન નકારી દેવામાં આવ્યા હતા. પ્રકરણમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારી એવા ભરત ગઢવી અને રણવીરસિંહ ઝાલા ફરારી જાહેર થયા છે અને હજુ પણ પોલીસની પકડમાં આવ્યા નથી ત્યારે તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang