શ્રીહરિકોટા, તા. 17 : ભારતીય અંતરિક્ષ
એજન્સી ઈસરો આવતી કાલે જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાની છે. પાકિસ્તાન સાથે તાજેતરની સશત્ર
અથડામણ વચ્ચે ભારતનું આ અંતરિક્ષ મિશન મહત્વનું છે. ઈસરો ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે
પોતાની ક્ષમતાનો દુનિયાને પરચો બતાવશે. રવિવારે વહેલી સવારે પ:પ9 વાગ્યે શ્રીહરિકોટા, સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પીએસએલવી-સી61 લોન્ચ વ્હીકલ દ્વારા ઈઓએસ-09 (રિસેટ-1બી) જાસૂસી
સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.