• શનિવાર, 04 મે, 2024

રાજ્યના લોકોની સુખાકારી માટે મા આશાપુરા પાસે પ્રાર્થના

માતાના મઢ, તા. 22 : કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની જીતની હેટ્રીક માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ કુળદેવી આઈ આશાપુરાના સ્થાનક માતાના મઢે શીશ નમાવી નખત્રાણા ખાતે સભા યોજી હતી. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમ વખત દર્શને આવ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ નમાવી શ્રી પટેલે પૂજન અર્ચન કર્યા હતા. સાથે ગુજરાતના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી તેમજ ટ્રસ્ટીગણની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજાબાવા યોગેન્દ્રસિંહ તેમજ મઢ જાગીર ટ્રસ્ટી - ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તથા પ્રવીણસિંહ વાઢેરે મુખ્યમંત્રીનું ચાંદીમાં મઢેલી ફ્રેમવાળી માતાજીની છબી સાથે સન્માન કર્યું હતું. અવસરે ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ આહીર, ધારાસભ્યો અનિરુદ્ધભાઈ દેવ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ધવલ આચાર્ય, વિકાસભાઈ ગોર, ઉમિયાશંકરભાઈ ગોર, ભરત શાહ, કાનજીભાઈ આહીર, સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ જોશી, મયુરસિંહ જાડેજા, જશુભા જાડેજા, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, વસંતભાઈ કોડરાણી, મા. મઢના વેપારી અગ્રણી જયંતીભાઈ શાહ સહિતના ભાજપ અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. મઢ જાગીરના ટ્રસ્ટી સાથેની શુભેચ્છા મુલાકાતવેળાએ અહીં ચાલતા વિકાસકાર્ય ઉપર પુરંતુ ધ્યાન રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું તેવું ભાજપ અગ્રણી તેમજ મઢ જાગીરના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang