• શનિવાર, 04 મે, 2024

માનકૂવામાં બાઇકને ટ્રકે અડફેટે લેતાં મિરજાપરના કિશોરનું મોત

ભુજ, તા. 22 : ગઇકાલે માનકૂવામાં બાઇકચાલક મૂળ વડાવા કાંયા હાલે મિરજાપર રહેતા ચેતન શાંતિલાલ કોળી (.. 16)ને પાછળથી ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે તેનો જીવ ગયો હતો, જ્યારે નલિયા એરફોર્સના ક્વાર્ટરમાં મૂળ ઉત્તરપ્રદેશના 29 વર્ષીય યુવાન શિવકાંત સુરેશ મિશ્રાએ આજે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, મૂળ નખત્રાણા તાલુકાના વડાવા કાંયાના હાલે મિરજાપર રહેતા શાંતિલાલ મુસા કોલીનો 16 વર્ષીય પુત્ર ચેતન ગઇકાલે રાત્રે વડવા કાંયાથી પરત પોતાના ઘરે મિજાપર સ્પેલન્ડર બાઇક નં. જી.જે. 12 બીએસ 8829 લઇને આવી રહ્યો હતો, ત્યારે ગઇકાલે રાત્રે 9-30 વાગ્યે માનકૂવા પાસે એમઆરએફ ટાયરના વર્કશોપ સામે પહોંચતા ટ્રક નં. જી.જે. 12 સીટી 8198વાળીએ બાઇકને પાછળથી ટક્કર મારતાં ચેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેના પિતા શાંતિલાલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. અકસ્માત કરી ટ્રકચાલક ઘટનાસ્થળે ટ્રક મૂકી નાસી ગયો હતો. મૃતક ચેતનના પિતા શાંતિલાલને માનકૂવા પોલીસ મથકે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નલિયા એરફોર્સમાં કોન્સ્ટેબલ કક્ષા પર ફરજ બજાવતા મૂળ કાનપુર (ઉત્તરપ્રદેશ)ના 29 વર્ષીય શિવકાંત સુરેશ મિશ્રાએ આજે બપોરે પહેલાં કોઇપણ સમયે પોતાના કવાર્ટરમાં કોઇ અગમ્ય કારણોસર સિલિંગ ફેનમાં સાડી વડે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દઇ દીધો હતો. આપઘાતના બનાવમાં કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang