નવી દિલ્હી, તા.10 : ભારત સરકારે
સરકારી અધિકારીઓ- સિવિલ સેવકો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક પગલું
ભર્યું છે. સરકારે કેન્દ્રીય સચિવ સ્તરના અધિકારીઓ માટે એક વ્યાપક સ્કોરકાર્ડ સિસ્ટમ
લાગુ કરી છે. નવી સિસ્ટમ હેઠળ અધિકારીઓનું મૂલ્યાંકન હવે ફક્ત મૂલ્યાંકન દ્વારા નહીં
પરંતુ નિર્ધારિત ધોરણો પર આધારિત ગુણ દ્વારા કરવામાં આવશે. કેબિનેટ સચિવાલય દ્વારા
રજૂ કરાયેલ આ સિસ્ટમ સ્પષ્ટ પરિમાણોના આધારે યોગ્યતા અને બેદરકારી બન્નેનું મૂલ્યાંકન
કરશે. વરિષ્ઠ અધિકારીઓનું મૂલ્યાંકન 100-પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવશે જેમાં ડઝનબંધ પરિમાણો આવરી લેવામાં
આવશે. રિપોર્ટ કાર્ડમાં નકારાત્મક ગુણ અને વિવેકાધીન ગુણનો સમાવેશ થાય છે. સરકાર કહે
છે કે યોગ્ય મૂલ્યાંકનથી નાગરિકો, વ્યવસાયો
અને સ્ટાર્ટઅપ્સ માટે પરવાનગીઓ, અનુદાન અને લાઇસન્સ જેવી પ્રક્રિયાઓ
ઝડપી બનશે. કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને સપ્ટેમ્બર, ઓક્ટોબર
અને નવેમ્બર 2025 માટે તૈયાર
કરાયેલું પહેલું વહીવટી રિપોર્ટ કાર્ડ જાન્યુઆરી 2026 માં સચિવ-સ્તરના અધિકારીઓને મોકલ્યું હતુ.