• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મણિપુરમાં ફરી હિંસા : મકાનો ફૂંકી મરાયા

ઈમ્ફાલ, તા.10 : મણિપુરમાં નવી સરકાર બન્યાના એક સપ્તાહની અંદર જ ફરી હિંસા ભડકી છે. ઉપદ્રવીઓએ ઉખરુલ જિલ્લાના લિતાન સરેઈખોંગ ગામમાં ઓછામાં ઓછાં પચ્ચીસ મકાન અને ચાર સરકારી ક્વાર્ટરમાં આગ લગાડી હતી. હિંસા બાદ સમગ્ર જિલ્લામાં કરફ્યૂ લગાડવામાં આવ્યો હતો. આજે સવારે 11.30 વાગ્યાથી આવતા પાંચ વિસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. તાંગખુલ અને કુકી સમુદાય વચ્ચે હિંસક ઘર્ષણ બાદ સલામતી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઉખરુલ જિલ્લાના લિતાન વિસ્તારમાં આસપાસના ગામોમાં ઉપદ્રવીઓએ અનેક મકાનને આગ ચાંપી હતી. પોલીસે જણાવ્યું હતું કે હિંસા દરમ્યાન રાઈફલથી ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. કરફ્યૂ બાદ હાલમાં સ્થિતિ તંગદિલી ભરી છતાં નિયંત્રણમાં છે. તંગદિલી વધવાની આશંકા વચ્ચે લોકોએ તંત્રની કોઈ મદદ વિના જ ઘર છોડીને ઉચાળા ભરવાનું શરૂ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે  લિતાન થાણા પોલીસે લોકોનું સલામત આવાગમન સુનિશ્ચિત કર્યું હતું અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં બીએસએફ, સીઆરપીએફ અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા અને વધારાના દળ મોકલવામાં આવી રહ્યા હતા. 

Panchang

dd