જયપુર, તા. 19 : મિડલ
ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને આંગળીમાં ઇજા થઇ છે. આથી પંજાબ કિંગ્સની ચિંતા વધી છે. તે
પંજાબ ટીમનો કેપ્ટન છે અને તેના નેતૃત્વમાં ટીમ 2014 પછી
પહેલીવાર પ્લેઓફ રાઉન્ડમાં પહોંચી છે. શ્રેયસ અય્યર આગામી ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની
શ્રેણીની ભારતીય ટીમમાં પસંદ થવાનો પણ પ્રબળ દાવેદાર છે. આથી બીસીસીઆઇ પણ શ્રેયસ અય્યરની
ઇજા પર નજર રાખી રહ્યંy છે.
ગઇકાલની મેચમાં શ્રેયસ અય્યર બેટિંગમાં આવ્યો હતો અને 30 રનની ઇનિંગ્સ રમી હતી. તેના સ્થાને ઇમ્પેકટ પ્લેયરના
રૂપમાં હરપ્રિત બ્રાર ઉતર્યો હતો. તેણે 22 રનમાં
ત્રણ વિકેટ લીધી હતી. મેચ બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું કે, મારી આંગળીમાં ઇજા છે. ગઇકાલે નેટ પ્રેકિટસ વખતે આ ઇજા થઇ હતી. તબીબી સલાહ
અનુસાર હવે પછીના મેચમાં ફિલ્ડિંગમાં ઉતરીશ કે નહીં તે નિશ્ચિત બનશે.