નવી
દિલ્હી, તા.
11 : રોહિત શર્માના અચાનક ટેસ્ટ સંન્યાસ બાદ મોટો
સવાલ એ સર્જાયો છે કે ટીમ ઇન્ડિયાનો નવો ટેસ્ટ કપ્તાન કોણ? હવે તેનો જવાબ ટૂંક સમયમાં
મળી શકે છે. હેવાલ અનુસાર યુવા બેટર શુભમન ગિલ ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનશે. તેને
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમને આગેવાની બીસીસીઆઇ સોંપશે. આ અંગે મુખ્ય પસંદગીકાર
અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ચર્ચા કર્યા પછી શુભમન ગિલના નામ પર મહોર મારી
દીધી છે. આથી બીસીસીઆઇ ટૂંક સમયમાં શુભમન ગિલના નામની જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈના
વર્તુળમાંથી જાણવા મળે છે કે ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલના નામની જાહેરાત 23 કે 24 મેના થશે. આ દિવસે જ પસંદગી સમિતિની બેઠક યોજાશે. જેમાં ઇંગ્લેન્ડ સામેની
પાંચ ટેસ્ટ મેચની 17 કે
18 ખેલાડીની ભારતીય ટીમ જાહેર થશે. એવા પણ હેવાલ
છે કે, કપ્તાનીને
લઇને બીસીસીઆઇની ગિલ સાથે વાતચીત પણ થઇ ચૂકી છે. ગિલને ભવિષ્યનો સ્ટાર ક્રિકેટર માનવામાં
આવે છે. તેના પર વિરાટ કોહલી અને રોહિત શર્માનો વારસો આગળ વધારવાનું દબાણ રહેશે.