• રવિવાર, 01 જૂન, 2025

માધાપરમાં કાયમી ગટર સમસ્યાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય

માધાપર, તા. 19 : હાલમાં ગામના નવાવાસમાં ગટરનાં દૂષિત પાણી પાટ નદીમાં ફરી વળતાં મફતનગરથી ગ્રામ પંચાયત, વથાણચોક, પાટ હનુમાનજી સુધી ગંદકીનું સામ્રાજ્ય છવાતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. માધાપરની પ્રજા માટે ગટરની સમસ્યા કાયમી બની ગઇ હોય તેમ મફતનગરથી છેક પાટ હનુમાનજી સુધી દૂષિત પાણી વહી રહ્યાં છે, જેનાં કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ગટરનાં દૂષિત પાણીના ફોટા સ્ટેટસમાં નાખી સમસ્યાઓને વાયરલ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આ સમસ્યાના જવાબદાર કોણ ? નદી ઉપર જ બનાવાયેલી શાકમાર્કેટનો વધેલો કચરો ધંધાર્થીઓ આ નદીમાં જ ફેંકતા હોવાથી ગાયો પણ કાદવ-કીચડ વચ્ચે કચરો ખાતી જોઇ જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ગામના ડો. મનોજભાઇ સોલંકી દેશની પ્રથમ દેશી ગૌવંશ યુનિવર્સિટી ગૌ વિશ્વ વિદ્યાપીઠના સલાહકાર તરીકે નિમણૂક પામ્યા છે, જે ગૌરવની વાત છે, પણ લોકો ગાયની આવી હાલત જોઇ જવાબદારો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. લાંબા સમયથી પંચાયતમાં વહીવટદારનું શાસન છે ત્યારે તેમના દ્વારા પણ આ બાબતે ઘટતું કરવું જોઇએ તેવો સૂર જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd