ભુજ, તા. 19 : ભુજ
લોહાણા મહાજન દ્વારા `મોક્ષરથ'નાં લોકાર્પણનો કાર્યક્રમ
ભુજ લોહાણા મહાજનનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેની અધ્યક્ષતામાં યોજાયો હતો. લોહાણા
જ્ઞાતિજનોના દુ:ખદ અવસરે સ્મશાનયાત્રામાં ઉપયોગી એવા મોક્ષરથ માટે મુખ્યદાતા અ.નિ.
કરસનદાસ કલ્યાણજી કતિરા, અ.નિ. ભચીબેન કરસનદાસ કતિરાના સ્મરણાર્થે હ. હરેશભાઈ કતિરા તથા કતિરા
પરિવારનો સહયોગ સાંપડેલ હતો. નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા ભુજ લોહાણા
મહાજનવાડીનાં રૂખાણા હોલ મધ્યે યોજવામાં આવેલ દાતાઓનાં સન્માન કાર્યક્રમમાં
મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠકકર, મંત્રી હિતેશભાઈ ઠકકર,
ખજાનચી મૂળરાજભાઈ ઠકકર,
સહમંત્રી સંજયભાઈ ઠકકર, ડો. પ્રફુલ્લાબેન કોટક,
અમરધામ સમિતિના ચેરમેન કલ્પેશભાઈ ઠક્કર, ચેતનભાઈ
ઠકકર, મહિલાશ્રમના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર દાતા પરિવાર,
મહાજનનાં કારોબારી સભ્યો, મહિલા મંડળના પ્રમુખ
મમતાબેન ઠકકર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે તથા જ્ઞાતિજનો
ઉપસ્થિત રહ્યા હતા. ભુજ લોહાણા મહાજનવાડી મધ્યે મોક્ષરથની ચાવી દાતા પરિવારના
હસ્તે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેને સોંપીને લોકાર્પણ કરવામાં
આવ્યું હતું. આ મોક્ષરથની સેવા ભુજ શહેરમાં તથા પંચકોશી ગામોમાં રહેતા લોહાણા
જ્ઞાતિજનો માટે નિ:શુલ્ક રાખવામાં આવશે. કાર્યક્રમમાં મહાજનની સંલગ્ન સંસ્થાઓના
હોદ્દેદારો તથા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાા હતા. કાર્યક્રમને સફળ
બનાવવા મહાજનના કારોબારી સભ્યો તથા મહાજનના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.