ભુજ, તા. 19 : કચ્છ
ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ઘટક દ્વારા જૂનાવાસ, માધાપરમાં આવેલ કાશી વિશ્વનાથ (શિવમંદિર)
મંદિરનો 12મો પાટોત્સવ માધાપર ઘટકના પ્રમુખ જયંતીલાલભાઈ વલમજીભાઈ
વાઘેલાના અધ્યક્ષસ્થાને ઊજવાયો હતો. મુખ્ય દાતા લલિતભાઈ દામજીભાઈ પરમાર પરિવાર
રહ્યા હતા. તેમના દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરવામાં આવી હતી. સમાજરત્ન
વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી ભવન (મિત્રી સમાજવાડી) મધ્યે માધાપર ઘટક વતી દાતા
પરિવારને શાલ ઓઢાડી, પાઘડી પહેરાવી અને મોમેન્ટો આપી મહાસભાના પ્રમુખ વિનોદભાઈ પુરુષોત્તમભાઈ
સોલંકી અને માધાપર ઘટકના પ્રમુખ જયંતીલાલભાઈ વલમજી વાઘેલા દ્વારા સન્માન કરવામાં
આવ્યું હતું. માધાપર મહિલા મંડળ અને માધાપર યુવા મંડળ તેમજ સમસ્ત સમાજ અને મહાસભા
દ્વારા દાતા પરિવારનું સન્માન કરાયું હતું.
અ.ભા. મહિલા મંડળના ઉપપ્રમુખ નીતાબેન વિનોદભાઈ સોલંકી, માધાપર ઘટકના સલાહકાર ચમનભાઈ માધવજી ચૌહાણ, માધાપર
મહિલા મંડળ પ્રમુખ તારાબેન રમેશભાઈ ટાંક, માધાપર યુવા મંડળ
પ્રમુખ ભારત જેઠાલાલભાઈ રાઠોડ, કચ્છ પ્રાદેશિક પ્રમુખ
બાબુભાઈ સામજીભાઈ ચૌહાણ તથા માધાપર ઘટકના સભ્યો હાજર રહ્યા હતા. સમાજભવનથી
શિવમંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી. ચેતનભાઈ ચમનભાઈ ચૌહાણ અને ઈશ્વરભાઈ ભાણજીભાઈ
ચૌહાણનો સહયો મળ્યો હતો. પાટોત્સવનાં આયોજન માટે માધાપર ઘટક, મહિલા મંડળ, યુવા મંડળ અને યુવતી મંડળે જહેમત ઉઠાવી
હતી. સંચાલન માધાપર ઘટકના સહમંત્રી દિનેશભાઈ નરેન્દ્રભાઈ ચાવડાએ કરેલ હતું.