ભુજ, તા. 19 : કચ્છ
તથા ભુજવાસીઓને શુભ પ્રસંગોની ઉજવણી કરવા હેતુ સંપૂર્ણ વાતાનુકૂલિત ધ ક્રિસ્ટલ
હોલનું ઉદ્ઘાટન રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી કચ્છના હસ્તે શાત્રોક્ત
વિધિવિધાનથી કરાયું હતું. આ અવસરે બે ટ્રસ્ટને બે-બે કરોડના ચેક અર્પણ કરાયા હતા.
દરબારગઢ પ્રાગમહેલ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ પરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહજી, તેરા ઠાકોર
મયૂરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, જોરાવરસિંહ રાઠોડ,
જનાર્દનભાઇ દવે, જેહાનભાઇ ભુજવાલા, ડો. કાંતિભાઇ ગોર, ડો. શૈલેન્દ્રભાઇ રાઠોડ, શંકરભાઇ સચદે, દિનેશભાઇ મહેતા, જગદીશભાઇ સોની, નરેશભાઇ અંતાણી, મહિદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, વિજેશભાઇ પૂંજા, શ્રીરાજસિંહ ગોહિલ, સમીરભાઇ ભટ્ટ, કિશોરભાઇ મોરબિયા, દલપતભાઇ દાણિધારિયા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ પરિવારના
મહારાણી પ્રીતિદેવી દ્વારા મહારાવ પ્રાગમલજી અને મહારાણી પ્રીતિદેવી માનવધર્મ
ટ્રસ્ટ અને મહારાવ પ્રાગમલજી અને મહારાણી પ્રીતિદેવી વિદ્યાદાન ટ્રસ્ટ માટે બે-બે
કરોડના ચેક ટ્રસ્ટોને નામે અર્પણ કરવામાં આવ્યા હતા.