• રવિવાર, 01 જૂન, 2025

મુંદરામાં મહારાણા પ્રતાપાસિંહની પ્રતિમાનું ખાતમુહૂર્ત

મુન્દ્રા, તા. 19 :  શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ મુન્દ્રા સાડાઉ રોડ ખાતે મહારાણા પ્રતાપાસિંહની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરાયું હતું. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ વિરેન્દ્રાસિંહ જાડેજા, અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રદ્યુમનાસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અને આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રાસિંહ જાડેજા વગેરેના હસ્તે મહારાણાની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રતિમાનું ક્ષત્રિય સમાજ અને સમસ્ત હિન્દુ સમાજનાં સહયોગ થકી અંદાજીત 10થી12 લાખનાં ખર્ચે નિર્માણ થાશે. આ પ્રસંગે મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મહારાણા પ્રતાપનું સર્કલ અને પૂર્ણ કદની પ્રતિમાની ક્ષત્રિય સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજની માંગને ધ્યાનમાં લઇ 2019માં બારોઇ ગ્રામ પંચાયત અને 2022માં બારોઇ મુન્દ્રા નગરપાલિકા દ્વારા પાવાપુરી ચોકડીને મહારાણા પ્રતાપ સર્કલ અને મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરાયો હતો. હવે આ સર્કલ બનશે તો અકસ્માતોની પણ સંભાવના ઘટી જશે તેવો વિશ્વાસ વ્યકત થયો હતો.  ધારાસભ્યો, મહાનુભાવો, મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ દિલાવરસિંહ જાડેજા તેમજ સમસ્ત હિંદુ સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત વિધિ થઇ હતી.કાર્યક્રમમાં વિરાણીયાના સરપંચ શક્તાસિંહ એમ. જાડેજા, વિરમભાઈ ગઢવી, સોમાભાઈ રબારી, કિશોરાસિંહ પરમાર, કુલદીપ સિંહ જાડેજા મોટી ખાખર, હરાસિંહ જાડેજા બરાયા, અનિરૂદ્ધાસિંહ વિરાણીયા, દિલીપાસિંહ ચાવડા, દિલીપાસિંહ મોખા, ચંદુભા મંગરા, કુલદીપાસિંહ નુંધાતડ, ભગીરથાસિંહ હટડી, પ્રદ્યુમનાસિંહ જાડેજા ભદ્રેશ્વર, રાજુભા જાડેજા પૂર્વ ટીડીઓ, ભગીરથાસિંહ ઝાલા, વનરાજાસિંહ જાડેજા, કિશોરાસિંહ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ચંદુભા જાડેજા અને આભાર વિધિ ભગીરથાસિંહે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd